________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચ પરમેષ્ઠીનું પ્રતીક “ૐ” પાંચ પરમેષ્ઠિઓનાં નામોના પ્રથમ અક્ષરોને લઇને ૩ૐ પદની રચના થઇ છે. અરહંત અને અશરીર (સિદ્ધ ) નો “અ” આચાર્યોનો “આ” ઉપાધ્યાયનો “ઉ” તથા મુનિનો “મ” આ પ્રમાણે અ + અ + આ = ઉ + મ = ઓમ = ૩ૐ પદનું નિર્માણ થયું છે. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ ગાથા૪૯ની બ્રહ્મદેવ કૃત ટીકા) જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે
“અરિહંતા અશરીરા આઇરિયા ત૭ ઉવજજાયા મુણિણો
પઢમકખર હિપ્પણો ઓંકારો પંચ પરમેષ્ઠી ” ૪૯
બ્રહ્મદેવે ઉપર પ્રમાણે પંચ પરમેષ્ઠી વાચક મંત્રના અર્થને સમજવા પર ભાર દેતા કહ્યું છે કે –
મંત્ર શાસ્ત્રનાં સર્વ પદોમાં સારભૂત આ લોક અને પરલોકમાં ઇષ્ટફળ આપનાર પંચ પરમેષ્ઠીના વાચક એવા આ પદોના અર્થ જાણીને તથા અંતરંગમાં અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણરૂપ તથા બહારમાં વાણીના શુદ્ધ ઉચ્ચારણથી જાપ કરો. તથા શુભોપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌન પૂર્વક આ પદોનું ધ્યાન કરો. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ ગાથા ૯૪ ની બ્રહ્મદેવ કૃત ટીકા)
આ પ્રકારે 38 અક્ષર પણ પંચ પરમેષ્ઠીનો પ્રતિપાદક હોવાથી નમોકાર મંત્રની માફક એકાક્ષરી મંત્ર છે. આ મંત્રના માધ્યમથી પણ પંચ પરમેષ્ઠીનું ધ્યાન અને સ્મરણ કરી શકાય છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com