________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
સમયસાર નાટક માટી છે તેથી માટી જ કર્તા છે, માટી ઘડારૂપ થાય છે તેથી માટી જ કર્મ છે અને પિંડરૂપ પર્યાય માટીની હતી અને ઘડારૂપ પર્યાય પણ માટી જ થઈ તેથી માટી જ ક્રિયા છે. પરિણામી=અવસ્થાઓ બદલનાર. પરિનામ=અવસ્થા.
અર્થ- અવસ્થાઓ બદલનાર દ્રવ્ય કર્તા છે, તેની અવસ્થા કર્મ છે ને એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે થવું તે ક્રિયા છે. આ રીતે એક વસ્તુના ત્રણ નામ છે.
વિશેષ:- અહીં અભેદ-વિવક્ષાથી કથન છે; દ્રવ્ય પોતાના પરિણામોને કરનાર પોતે છે તેથી તે તેમનો કર્તા છે, તે પરિણામ દ્રવ્યના છે અને તેનાથી અભિન્ન છે તેથી દ્રવ્ય જ કર્મ છે, દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે થાય છે અને તે પોતાની બધી અવસ્થાઓથી અભિન્ન રહે છે તેથી દ્રવ્ય જ ક્રિયા છે. ભાવ એ છે કે દ્રવ્ય જ કર્તા છે, દ્રવ્ય જ કર્મ છે અને દ્રવ્ય જ ક્રિયા છે; વસ્તુ એક જ છે. નામ ત્રણ છે. ૭.
કર્તા, કર્મ અને ક્રિયાનું એકત્વ (દોહરા) करता करम क्रिया करै, क्रिया करम करतार।
नाम-भेद बहु विधि भयौ, वस्तु एक निरधार।।८।। શબ્દાર્થ:- બહુ વિધિ અનેક પ્રકારનો. નિરધાર નિશ્ચય.
અર્થ:- કર્તા, કર્મ અને ક્રિયાનો કરનાર છે, કર્મ પણ ક્રિયા અને કર્તારૂપ છે, તેથી નામના ભેદથી એક જ વસ્તુ કેટલાય રૂપ થાય છે. ૮. વળી
एक करम करतव्यता, करै न करता दोइ।
दुधा दरव सत्ता सधी, एक भाव क्यों होइ।।९।। શબ્દાર્થ:- દુધા=બે પ્રકારે. અર્થ:- એક કર્મની એક જ ક્રિયા અને એક જ કર્તા હોય છે, બે નથી હોતા;
एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य। एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।।७।। नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा।।८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com