SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ સમયસાર નાટક અર્થ - શ્રીગુરુ આત્મ-પદાર્થના સ્વરૂપનું વર્ણન કરે છે, તે સાંભળીને બુદ્ધિમાન માણસો ધારણ કરે છે અને મૂર્ખાઓ તેનો મર્મ જ સમજતા નથી. ૧૪. ઉપરના દોહરાનું દષ્ટાંત દ્વારા સમર્થન (સવૈયા એકત્રીસા) जैसैं काहू नगरके वासी द्वै पुरुष भूले , तामैं एक नर सुष्ट एक दुष्ट उरकौ। दोउ फिरै पुरके समीप परे ऊटवमैं, काहू और पथिकसौं पूछ पंथ पुरकौ।। सो तौ कहै तुमारौ नगर है तुमारे ढिग, ____ मारग दिखावै समुझावै खोज पुरको। एतेपर सुष्ट पहचानै पै न मानै दुष्ट, हिरदै प्रवांन तैसे उपदेस गुरुकौ।।१५।। શબ્દાર્થ:- વાસી = રહેનાર. સુખ = સમજણો. દુર = દુબુદ્ધિ. ઊટવ = ઉલટો રસ્તો. ઢિગ = પાસે. અર્થ- જેવી રીતે કોઈ શહેરના રહેવાસી બે પુરુષો વસ્તીની સમીપમાં રસ્તો ભૂલી ગયા, તેમાં એક સજ્જન અને બીજો હૃદયનો દુર્જન હતો. રસ્તો ભૂલીને પાછા ફર્યા અને કોઈ ત્રીજા મુસાફરને પોતાના નગરનો રસ્તો પૂછયો તથા તે મુસાફરે તેમને રસ્તો સમજાવીને બતાવ્યો અને કહ્યું કે આ તમારું નગર તમારી નજીક જ છે. ત્યાં તે બન્ને પુરુષોમાં જે સજ્જન છે તે તેની વાત સાચી માને છે અર્થાત્ પોતાનું નગર ઓળખી લે છે અને મૂર્ખ તેને માનતો નથી; એવી રીતે જ્ઞાની શ્રીગુરુના ઉપદેશને સત્ય માને છે પણ અજ્ઞાનીઓના સમજવામાં આવતું નથી. ભાવ એ છે કે ઉપદેશની અસર શ્રોતાઓના પરિણામ-અનુસાર જ થાય છે. ૧૫. जैसैं काहू जंगलमैं पासकौ समै पाइ, अपनै सुभाव महामेघ बरषतु है। ૧. ચોપાઈ-સુગુરુ સિખાવહિં બારહિં બારા, સૂઝ પર ત૬ મતિ અનુસારા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy