________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક
(સવૈયા એકત્રીસા) जाकै घट प्रगट विवेक गणधरकौसौ,
हिरदै हरखि महामोहकौं हरतु है। साचौ सुख मानै निजमहिमा अडौल जाने,
आपूहीमै आपनौ सुभाउ ले धरत हैं।। जैसे जल-कर्दम कतकफल भिन्न करै,
तैसैं जीव अजीव विलछनु करतु है। आतम सकति साथै ग्यानको उदौ आराधै,
सोई समकिती भवसागर तरतु है।।८।। શબ્દાર્થ - કર્દમકીચડ. કતકફળ-નિર્મળી. વિલઇનુ પૃથ્થકરણ. સકતિ શક્તિ.
અર્થ - જેના હૃદયમાં ગણધર જેવો સ્વ-પરનો વિવેક પ્રગટ થયો છે, જે આત્માનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વને નષ્ટ કરે છે, સાચા સ્વાધીન સુખને સુખ માને છે. પોતાના જ્ઞાનાદિ ગુણોની અવિચળ શ્રદ્ધા કરે છે, પોતાના સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે, જે અનાદિના મળેલ જીવ અને અજીવનું પૃથ્થકરણ કીચડથી પાણીનું પૃથ્થકરણ કતકફળની જેમ કરે છે, જે આત્મબળ વધારવામાં પ્રયત્ન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે, તે જ સમ્યગ્દષ્ટિ સંસાર-સમુદ્રથી પાર થાય છે. ૮.
(મિથ્યાષ્ટિનું લક્ષણ. સવૈયા એકત્રીસા) धरम न जानत बखानत भरमरूप,
ठौर ठौर ठानत लराई पच्छपातकी। भूल्यो अभिमानमै न पाउ धरै धरनीमें,
हिरदैमें करनी विचारै उतपातकी।।
૧. ગંદા પાણીમાં નિર્મળી (ફટકડી) નાખવાથી કીચડ નીચે બેસી જાય છે અને પાણી ચોખ્ખું થઈ જાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com