SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯૭ संग त्यागि अंग त्यागि वचन तरंग त्यागि, मन त्यागि बुद्धि त्यागि आपा सुद्ध कीनौ है।। १०९।। શબ્દાર્થ:- ઉલટિ = વિમુખ થઈને. સમૈ (સમય) = અવસર. ઉબરયી = બાકી રહ્યું. કારા (કાર્ય) = કામ. સંગ = પરિગ્રહ, અંગ = શરીર. તરંગ = લહેર. બુદ્ધિ = ઇન્દ્રિયજનિત જ્ઞાન. આપા = નિજ-આત્મા. અર્થ - અવસર મળતાં જ્યારથી આત્માએ વિભાવ પરિણતિ છોડીને નિજસ્વભાવનું ગ્રહણ કર્યું છે, ત્યારથી જે જે વાતો ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય હતી તે તે બધીનું ગ્રહણ કર્યું છે અને જે જે વાતો હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય હતી તે બધી છોડી દીધી છે. હવે ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય કાંઈ રહી ગયું નથી અને નવું કામ કરવાનું બાકી હોય એવું પણ કાંઈ બાકી રહ્યું નથી. પરિગ્રહ છોડી દીધો, શરીર છોડી દીધું, વચનની ક્રિયાથી રહિત થયો, મનના વિકલ્પો છોડી દીધા, ઇન્દ્રિયજનિત જ્ઞાન છોડ્યું અને આત્માને શુદ્ધ કર્યો. ૧૦૯. મુક્તિનું મૂળ કારણ દ્રવ્યલિંગ નથી (દોહરા) सुद्ध ग्यानकै देह नहि, मुद्रा भेष न कोइ। तातै कारन मोखकौ, दरबलिंग नहि होइ।।११०।। * दरबलिंग न्यारौ प्रगट, कला वचन विग्यान। अष्ट महारिधि अष्ट सिधि, एऊ होहि न ग्यान।।१११।। શબ્દાર્થ:- મુદ્રા = આકૃતિ. ભેસ (વેષ) = બનાવટ. દરબલિંગ = બાહ્ય વેશ. પ્રગટ = સ્પષ્ટ, એઊ = આ. અર્થ:- આત્મા શુદ્ધજ્ઞાનમય છે અને શુદ્ધ જ્ઞાનને શરીર નથી અને ન આકાર-વેશ આદિ છે; તેથી દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી. ૧૧૦. બાહ્ય વેશ જુદા છે, व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्। कथमाहारकं तत्स्यायेन देहोऽस्य शक्यते।। ४४।। * एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते। ततो देहमयं ज्ञातुन लिङ्गं मोक्षकारणम्।।४५।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy