SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક સમાન છે, સમસ્ત જીવો દ્વારા વંદનીય છે, જન્મ-મરણનો ભય દૂર કરનાર છે, જેમણે મૃત્યુને જીત્યું છે, જે નરકગતિથી બચાવનાર છે, જે મહાન અને ગંભીર સંસાર-સાગરથી તારનાર છે, અત્યંત બળવાન કામદેવના વનને બાળવા માટે 'રુદ્રની અગ્નિ સમાન છે, જે જીવોને બિલકુલ નીડર બનાવનાર છે, તે (પાર્શ્વનાથ ભગવાન ) નો જય હો ! જય હો !! ૨. | (સવૈયા એકત્રીસા) जिन्हिके वचन उर धारत जुगल नाग, भए धरनिंद पदुमावति पलकमैं। जाकी नाममहिमासौं कुधातु कनक करै, पारस पखान नामी भयौ है खलकमैं।। जिन्हकी जनमपुरी-नामके प्रभाव हम, अपनौ स्वरुप लख्यौ भानुसौ भलकमैं। तेई प्रभु पारस महारसके दाता अब, दीजै मोहि साता दृगलीलाकी ललकमैं।।३।। શબ્દાર્થ - કુધાતુ લોઢું. પારસ પખાન-પારસ પથ્થર. ખલક-જગત. ભલક તેજ. મહાર=અનુભવનો સ્વાદ. સાતા=શાંતિ. અર્થ- જેમની વાણી હૃદયમાં ધારણ કરીને સર્પનું જોડું ક્ષણમાત્રમાં ધરણેન્દ્ર અને પદ્માવતી થયું, જેમના નામના પ્રતાપથી જગતમાં પથ્થર પણ પારસના નામથી પ્રસિદ્ધ છે કે જે લોઢાને સોનું બનાવી દે છે, જેમની જન્મભૂમિના નામના પ્રભાવથી અમે અમારું આત્મસ્વરૂપ જોયું છે જાણે કે સૂર્યની જ્યોતિ જ પ્રગટ થઈ છે, તે અનુભવ-રસનો સ્વાદ આપનાર પાર્શ્વનાથ જિનરાજ પોતાની પ્રિય દષ્ટિથી અમને શાંતિ આપો. ૩. ૧. આ વૈષ્ણવમતનું દષ્ટાંત છે, તેમના મતમાં કથન છે કે મહાદેવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કરી નાખ્યો. જોકે જૈનમતમાં આ વાર્તા પ્રમાણભૂત નથી તો પણ દષ્ટાંત માત્ર પ્રમાણ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy