SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬ સમયસાર નાટક ऐसौ प्रभु चेतन अचेतनकी संगतिसौं, उलट पलट नटबाजीसी करतु है।। ४६ ।। અર્થ - જીવમાં અનેક પર્યાયો થાય છે તેથી એકમાં અનેક છે, અનેક પર્યાયો એક જ જીવદ્રવ્યની છે તેથી અનેકમાં એક છે, તેથી એક છે કે અનેક છે એમ કાંઈ કહી જ શકાતું નથી. એક પણ નથી, અનેક પણ નથી, અપેક્ષિત એક છે, અપેક્ષિત અનેક છે. તે વ્યવહારનયથી કર્તા છે નિશ્ચયથી અકર્તા છે, વ્યવહારનયથી કર્મોનો ભોક્તા છે, નિશ્ચયથી કર્મોનો અભોક્તા છે, વ્યવહારનયથી ઊપજે છે, નિશ્ચયનયથી ઊપજતો નથી-ઊપજતો નહોતો-અને ઊપજશે નહિ, વ્યવહારનયથી મરે છે નિશ્ચયનયથી અમર છે, વ્યવહારનયથી બોલે છે, વિચારે છે, નિશ્ચયનયથી ન બોલે છે, ન વિચારે છે, નિશ્ચયનયથી તેનું કોઈ રૂપ નથી, વ્યવહારનયથી અનેક રૂપોનો ધારક છે. એવો ચૈતન્યપરમેશ્વર પૌલિક કર્મોની સંગતિથી ઉલટ-પલટ થઈ રહ્યો છે, જાણે નટ જેવો ખેલ ખેલી રહ્યો છે. ૪૬. નિર્વિકલ્પ ઉપયોગ જ અનુભવવા યોગ્ય છે. (દોહરા) नटबाजी विकलप दसा, नांही अनुभौ जोग। केवल अनुभौ करनकौ, निरविकलप उपजोग।। ४७।। શબ્દાર્થ:- નટબાજી = નટનો ખેલ. જોગ = યોગ્ય. અર્થ- જીવની નટની જેમ ઉલટી-સુલટી સવિકલ્પ અવસ્થા છે તે અનુભવવા યોગ્ય નથી. અનુભવ કરવા યોગ્ય તો તેની ફક્ત નિર્વિકલ્પ અવસ્થા જ છે. ૪૭. અનુભવમાં વિકલ્પ ત્યાગવાનું દાંત (સવૈયા એકત્રીસા) जैसैं काहू चतुर संवारी है मुक्त माल , मालाकी क्रियामैं नाना भांतिकौ विग्यान है। क्रियाकौ विकलप न देखै पहिरनवारौ, मोतिनकी सोभामैं मगन सुखवान है।। ૧. “ઘટવાસી' એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy