SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષ દ્વાર ૨૩૭ દેખાય છે અને બધાને તે અભિમાની તુચ્છ દેખાય છે, પરંતુ જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે માન-કષાય ગળી જવાથી સમતા પ્રગટ થાય છે. જ્ઞાનમાં કોઈ નાનુંમોટું દેખાતું નથી, સર્વ જીવો એકસરખા ભાસે છે. ૪૪. અભિમાની જીવોની દશા (સવૈયા એકત્રીસા) करमके भारी समुझैं न गुनको मरम, परम अनीति अधरम रीति गहे हैं। हौहिं न नरम चित्त गरम घरमहूते, चरमकी द्रिष्टिसौं भरम भूलि रहे हैं।। आसन न खोलैं मुख वचन न बोलैं, सिर नाये हू न डोलैं मानौं पाथरके चहे हैं। देखनेके हाऊ भव पंथके बढ़ाऊ ऐसे, मायाके खटाऊ अभिमानी जीव कहे है।।४५।। શબ્દાર્થ:- કરમકે ભારી = અત્યંત કર્મબંધન વાળા. મરમ = રહસ્ય. અધરમ (અધર્મ) = પાપ. નરમ = કોમળ. ધરમ = તડકો. ચરમ દ્રિષ્ટિ (ચર્મદષ્ટિ) = ઇન્દ્રિયજનિત જ્ઞાન. ચહે (ચય) = જડેલા. હાઉ = ભયંકર. બઢાઉ = વધારનાર. ખટાઉ = મજબૂત. અર્થ:- જેમણે કર્મોના તીવ્ર બંધ બાંધ્યા છે, જેઓ ગુણોનું રહસ્ય જાણતા નથી, અત્યંત અયોગ્ય અને પાપમય માર્ગનું ગ્રહણ કરે છે, કોમળ ચિત્તવાળા હોતા નથી, તડકાથી પણ અધિક ગરમ રહે છે અને ઇન્દ્રિય-જ્ઞાનમાં જ ભૂલી રહ્યા છે, દેખાડવા માટે એક આસને બેસી રહે છે અથવા ઊભા રહે છે, મૌન રહે છે, મહંત સમજીને કોઈ નમસ્કાર કરે તો ઉત્તરમાં અંગ પણ હુલાવતા નથી જાણે પત્થર જ ખોડયો હોય, દેખવામાં ભયંકર છે, સંસારમાર્ગને વધારનાર છે, માયાચારમાં પાકા છે, એવા અભિમાની જીવ હોય છે. ૪૫. ૧. દોષને જ ગુણ સમજી જાય છે. ૨. આત્મજ્ઞાન થતું નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy