SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ સમયસાર નાટક જેમ સંસારમાં ભટકે છે-કયાંય ઠેકાણું પામતા નથી. જેમના હૃદયમાં સમ્યજ્ઞાન છે, તેમને જ મોક્ષ છે; જે જ્ઞાનશૂન્ય ક્રિયા કરે છે તેઓ ભ્રમમાં ભૂલેલા છે. ૨૧. વ્યવહારલીનતાનું પરિણામ. (દોહરો) लीन भयौ विवहारमैं, उकति न उपजै कोइ। વીન મયૌ પ્રમુખ નરૈ, મુતિ હાસીં છોડું ? ૨૨ાા શબ્દાર્થ- ઉકતિ=ભેદજ્ઞાન. કહાસૌ કેવી રીતે. અર્થ - જે ક્રિયામાં લીન છે, ભેદવિજ્ઞાન રહિત છે અને દીન થઈને ભગવાનનાં ચરણોનો જાપ કરે છે અને એનાથી જ મોક્ષની ઈચ્છા રાખે છે તે આત્માનુભવ વિના મોક્ષ કેવી રીતે મેળવી શકે? ૨૨. વળી-(દોહરો) प्रभु सुमरौ पूजौ पढ़ौ करौ विविध विवहार। मोख सरूपी आतमा, ग्यानगम्य निरधार।।२३।। શબ્દાર્થ- સુમરી સ્મરણ કરો. વિવિધ વિવહાર જુદા જુદા પ્રકારનું ચારિત્ર. અર્થ - ભગવાનનું સ્મરણ કરવાથી, પૂજા-સ્તુતિ કરવાથી અથવા અનેક પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરવાથી કાંઈ થઈ શકતું નથી, કેમ કે મોક્ષ-સ્વરૂપ આત્મા અનુભવ-જ્ઞાનગોચર છે. ૨૩. જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. (સવૈયા એકત્રીસા) काज विना न करै जिय उद्यम, लाज विना रन मांहि न जूझै। डील विना न सधै परमारथ, सील विना सतसौं न अरूझै।। नेम विना न लहै निहचै पद, प्रेम विना रस रीति न बूझै। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy