________________
૪૦]
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ મોક્ષશાસ્ત્ર
જ છે, તેથી સમ્યજ્ઞાનનું કાંઈ ફળ ન હોય તેમ લાગે છે?
ઉત્ત૨:- આનંદ (સંતોષ ), ઉપેક્ષા ( રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ સમ્યગ્નાનનું ફળ છે. (સર્વાર્થસિદ્ધિ પાનું-૩૩૪)
આ ઉ૫૨થી સિદ્ધ થાય છે કે જ્ઞાન પોતાથી જ થાય છે, ૫૨૫દાર્થથી થતું નથી. સૂત્ર ૯-૧૦ નો સિદ્ધાંત
નવમા સૂત્રમાં કહેલાં પાંચ સભ્યજ્ઞાન એ જ પ્રમાણ છે, તે સિવાય બીજાઓ જુદાં જુદાં પ્રમાણો કહે છે પણ તે વાત ખરી નથી. જે જીવને સમ્યજ્ઞાન થયું હોય તે પોતાના સમ્યકતિ અને સભ્યશ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યક્ત્વ થયાનો નિર્ણય કરી શકે છે, અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. ૧૦.
પરોક્ષ પ્રમાણના ભેદ
આઘે પરોક્ષન્।। ।।
અર્થ:- [ આઘે] શરૂઆતના બે અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન [ પરોક્ષમ્ ] પરોક્ષ પ્રમાણ છે.
ટીકા
અહીં પ્રમાણ અર્થાત્ સાચાં જ્ઞાનના ભેદોમાંથી શરૂઆતના બે એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પરોક્ષ પ્રમાણ છે. એ જ્ઞાન પરોક્ષ છે તેથી સંશયવાળાં કે ભૂલવાળાં છે-એમ માનવું નહિ; એ તો તદ્દન સાચાં જ છે. એ જ્ઞાનના ઉપયોગ વખતે ઇન્દ્રિય કે મન નિમિત્ત છે તેથી ૫૨ અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યાં છે, સ્વ અપેક્ષાએ પાંચે પ્રકારનાં જ્ઞાન પ્રત્યક્ષ છે.
પ્રશ્ન:- ત્યારે સમ્યકમતિજ્ઞાનવાળો જીવ પોતાને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે એમ જાણી શકે ?
ઉત્ત૨:- જ્ઞાન સમ્યક છે માટે પોતાને સમ્યજ્ઞાન થયાનો નિર્ણય બરાબર કરી શકે, અને સમ્યજ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન અવિનાભાવી છે માટે તેનો નિર્ણય કરી શકે જ. જો નિર્ણય ન કરી શકે તો પોતાનો અનિર્ણય એટલે અનધ્યવસાય થયો, અને એમ થાય તો તેવું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.
પ્રશ્ન:- સમ્યમતિજ્ઞાની દર્શનમોહનીય પ્રકૃતિના પુદ્દગલોને પ્રત્યક્ષ જોઈ શકતો નથી અને તેનાં પુદ્દગલો ઉદયરૂપ હોય અને જીવ તેમાં જોડાતો હોય તો તેની ભૂલ ન થાય?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com