________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૯ સૂત્ર ૪૬-૪૭ ]
| [ ૫૯૭ (૪) નિર્ચથ:- જેમને મોહકર્મ ક્ષીણ થઈ ગયું છે તથા જેમને મોહકર્મના ઉદયનો અભાવ છે એવા બારમા તથા અગીઆરમાં ગુણસ્થાનવર્તી મુનિને નિગ્રંથ કહે છે.
(૫) સ્નાતક- સમસ્ત ઘાતકર્મોનો નાશ કરનાર કેવળી ભગવાનને સ્નાતક કહે છે. આમાં તેરમું તથા ચૌદમું બને ગુણસ્થાન સમજવા.)
૨. પરમાર્થ નિર્ગથ અને વ્યવહારનિગ્રંથ બાર, તેર અને ચૌદમાં ગુણસ્થાને બિરાજતા જીવો પરમાર્થનિગ્રંથ છે, કેમ કે તેમને સમસ્ત મોહનો નાશ થયો છે; તેઓને નિશ્ચયનિગ્રંથ કહેવાય છે. બીજા સાધુઓ જો કે સમ્યગ્દર્શન અને નિષ્પરિગ્રહપણાને લીધે નિગ્રંથ છે અર્થાત્ તેઓ મિથ્યાદર્શન તથા વસ્ત્ર, આભરણ, હથિયાર, કટક, ધન-ધાન્ય વગેરે પરિગ્રહથી રહિત હોવાથી નિગ્રંથ છે, તોપણ તેમને મોહનીયકર્મનો અંશે સદ્ભાવ છે, તેથી તેઓ વ્યવહારનિગ્રંથ છે.
૩. કેટલાક ખુલાસા (૧) પ્રશ્ન:- પુલાક મુનિને કોઈ અવસરમાં કોઈ એક વ્રતનો ભંગ ક્ષેત્રકાળને વશ હોય છે, છતાં તેને નિગ્રંથ કહ્યા, તો શ્રાવકને પણ નિગ્રંથપણું કહેવાનો પ્રસંગ આવશે?
| ઉત્તર- પુલાક મુનિ સમ્યગ્દષ્ટિ છે અને પરવશથી કે જબરજસ્તીથી વ્રતમાં ક્ષણિક દોષ થઈ જાય છે;૫ણ યથાજાતરૂપ છે તેથી નૈગમનયે તે નિગ્રંથ છે; શ્રાવકને યથાજાતરૂપ (નગ્નપણું) નથી તેથી તેને નિગ્રંથપણું કહેવાય નહિ.
(૨) પ્રશ્ન:- જો યથાજાતપણાને લીધે જ પુલાક મુનિને નિગ્રંથ કહેશો તો ઘણા મિથ્યાદષ્ટિઓ પણ નગ્ન રહે છે, તેમને પણ નિગ્રંથ કહેવાનો પ્રસંગ આવશે?
ઉત્તર- તેમને સમ્યગ્દર્શન નથી. એકલું નગ્નપણું તો ગાંડાને, બાળકને તથા | તિર્યંચોને પણ હોય છે, પરંતુ તેથી તેને નિગ્રંથ કહેવાય નહિ. જે સમ્યગ્દર્શન
જ્ઞાનપૂર્વક સંસાર અને દેહુ ભોગથી વિરક્ત થઈ નગ્નપણું ધારે તેને નિગ્રંથ કહેવાય, બીજાને નહિ. / ૪૬ /
પુલાકાદિ મુનિઓમાં વિશેષતા संयमश्रुतप्रतिसेवनातीर्थलिंगलेश्योपपादस्थानविकल्पतःसाध्याः।। ४७।।
અર્થ:- ઉપર કહેલા મુનિઓ [ સંયમ શ્રત પ્રતિસેવના તીર્થ ] સંયમ, શ્રત, પ્રતિસેવના, તીર્થ, [તિંગા નેશ્ય ૩૫][૬ સ્થાન] લિંગ લેશ્યા ઉપપાદ અને સ્થાન-એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com