________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૧૫-૧૬-૧૭ ]
[ પ૬૩ અર્થ:- [ નમોદ] દર્શનમોહનીયના ઉદયથી [ મન] અદર્શનપરિષહ અને [વંતરાયો: સતામ ] અંતરાયકર્મના ઉદયથી અલાભપરિષહ હોય છે. તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું ૧૪||
ચારિત્રમોહનીયકર્મના ઉદયથી થતા પરિષહો चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कारपुरस्काराः।।१५।।
અર્થ:- [વારિત્રમોહે] ચારિત્રમોહનીયના ઉદયથી [ નાન્ય અરતિ સ્ત્રી] નાન્ય, અરતિ, સ્ત્રી, [નિષદ્યા ગાઠોશ યાવના સત્કાર–પુરસ્કાર:] નિષધા, આક્રોશ, યાચના, અને સત્કારપુરસ્કાર એ સાત પરિષહો હોય છે. તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું ૧૫ ||
વેદનીયકર્મના ઉદયથી થતા પરિષહો
વેનીયે શેષા: ૨૬ ા અર્થ- [ વેવની] વેદનીયકર્મના ઉદયથી [ શેષા: ] બાકીના અગીઆર અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ, એ પરિષહો હોય છે. તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું.
એક જીવને એક સાથે થતા પરિષહોની સંખ્યા एकादयो भाज्या युगपदेकस्मिन्नैकोनविंशतेः।।१७।।
અર્થ- [ પરિમન પુપત ] એક જીવને એક સાથે [ Tયો. આ વોવિંશત: ] એકથી શરૂ કરીને ઓગણીસ પરિષહો સુધી [ ભાગ્યા:] જાણવા જોઈએ.
૧. એક જીવને એક વખતે વધારેમાં વધારે ઓગણીસ પરિષહ હોઈ શકે છે, કેમકે શીત અને ઉષ્ણ એ બેમાંથી એક વખતે એક જ હોય છે અને શિયા, ચર્યા તથા નિષધા (-સૂવું, ચાલવું તથા આસનમાં રહેવું) એ ત્રણમાંથી એક કાળે એક જ હોય છે; આ રીતે એ ત્રણ પરિષો બાદ કરવાથી બાકીના ઓગણીસ પરિષહો હોઈ શકે છે.
૨. પ્રશ્ન- પ્રજ્ઞા અને અજ્ઞાન એ બન્ને પણ એકી સાથે હોઈ શકે નહિ માટે એક પરિષહ વધારે બાદ કરવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com