________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૬ ]
[ મોક્ષશાસ્ત્ર ધર્મ જ સહાયક છે, જિનેશ્વરભગવાને ઉપદેશેલો ધર્મ તે જ ધર્મ છે એ પ્રકારે ચિંતવન કરવું તે ધર્મ અનુપ્રેક્ષા છે.
નિશ્ચયનયે આત્મા શ્રાવકધર્મ કે મુનિધર્મથી ભિન્ન છે, માટે માધ્યસ્થભાવ અર્થાત્ રાગદ્વેષરહિત શુદ્ધાત્માનું ચિંતવન કરવું તે ધર્મ ભાવના છે.
આ બારે ભેદો નિમિત્ત અપેક્ષાએ છે. ધર્મ તો વીતરાગભાવરૂપ એક જ છે; તેમાં ભેદ પડતા નથી. જ્યાં રાગ હોય ત્યાં ભેદ પડે છે.
૪. આ બાર ભાવના જ પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના અને સમાધિ છે, માટે નિરંતર અનુપ્રેક્ષાનું ચિંતવન કરવું જોઈએ. (ભાવના અને અનુપ્રેક્ષા એ બન્ને એકાર્થ વાચક છે.)
૫. આ અનુપ્રેક્ષાઓનું ચિંતવન કરવાવાળા જીવો ઉત્તમક્ષમાદિ ધર્મો પાળે છે અને પરિષહોને જીતે છે તેથી તેનું કથન બન્નેની વચ્ચે કરવામાં આવ્યું છે. હા!
બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાંથી પહેલા ચાર કારણોનું વર્ણન પુરું થયું. હવે પાંચમું કારણ પરિષહજય છે તેનું વર્ણન કરે છે.
પરિષહ સહન કરવાનો ઉપદેશ मार्गाच्यवननिर्जरार्थं परिसोढव्याः परिषहाः।।८।।
અર્થ:- [ મા અવ્યવન નિર્નરર્થ ] સંવરના માર્ગથી સ્મૃત ન થવા માટે અને કર્મોની નિર્જરાને માટે [ પરિસોઢવ્યા: પરિષદ:] બાવીસ પરિષહો સહન કરવા યોગ્ય છે. (આ સંવરનું વર્ણન ચાલતું હોવાથી. આ સૂત્રમાં કહેલા “મા' શબ્દનો અર્થ “સંવરનો માર્ગ” એમ સમજવો.)
ટીકા
૧. અહીંથી શરૂ કરીને સત્તરમા સૂત્ર સુધી પરિષહનું વર્ણન છે. આ વિષયમાં જીવોની ઘણી ભૂલો થાય છે, માટે તે ભૂલો ટાળવા પરિષહજયનું યથાર્થ સ્વરૂપ અહીં જણાવ્યું છે. આ સૂત્રમાં પહેલો શબ્દ “મા વ્યવન' વાપર્યો છે તેનો અર્થ માર્ગથી શ્રુત ન થવા માટે” એવો થાય છે. જે જીવ માર્ગથી (સમ્યગ્દર્શનાદિથી) ટ્યુત થઈ જાય તેને સંવર ન થાય પણ બંધ થાય, કેમ કે તેણે પરિષહજય ન કર્યો પરંતુ પોતે વિકારથી હણાઈ ગયો. હવે પછીના સૂત્ર ૯-૧૦-૧૧ ની સાથે આ સૂત્રને મેળવવાની ખાસ જરૂર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com