SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨ ] [ મોક્ષશાસ્ત્ર કર્મને યોગ્ય [પુના ] પુદ્ગલ પરમાણુઓનું [ કાવત્ત ] ગ્રહણ કરે છે [સવંધ: ] તે બંધ છે. ટીકા ૧. આખા લોકમાં કાર્મણવર્મણારૂપ પુગલો ભર્યા છે. જ્યારે જીવ કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્મણવર્ગણા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે, તેને બંધ કહેવામાં આવે છે. અહીં જીવ અને પુદ્ગલના એક ક્ષેત્રાવગાહરૂપ સંબંધને બંધ કહ્યો છે. બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઈ જતી નથી, તેમ જ તે બે ભેગાં થઈને કોઈ કાર્ય કરતાં નથી એટલે જીવ અને કર્મ એ બન્ને ભેગાં થઈને આત્મામાં વિકાર કરતાં નથી, તેમજ જીવ અને કર્મ ભેગા થઈને પુદ્ગલ કર્મમાં વિકાર કરતા નથી. કર્મોનો ઉદય જીવમાં વિકાર કરતો નથી, જીવ કર્મોમાં વિકાર કરતો નથી, પણ બન્ને સ્વતંત્રપણે પોતપોતાના પર્યાયના કર્તા છે. જ્યારે જીવ પોતાની વિકારી અવસ્થા કરે ત્યારે જુના કર્મોના વિપાકને “ઉદય” કહેવામાં આવે છે. અને જો જીવ વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની નિર્જરા થઈ-એમ કહેવામાં આવે છે. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, જીવ જ્યારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે ત્યારે તે ભાવ અનુસાર નવાં કર્મો બંધાય છે-આટલો જીવ પુદ્ગલનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. તે આ સૂત્રમાં બતાવે છે. ૨. જીવ અને પુદ્ગલનો જે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી પણ માત્ર એક સમયની અવસ્થા પુરતો છે. જીવમાં કદી બે સમયનો વિકાર ભેગો થતો નથી તેથી તેનો કર્મ સાથેનો સંબંધ પણ બે સમયનો નથી. પ્રશ્ન:- જો તે સંબંધ એક જ સમય પુરતો છે તો જીવ સાથે લાંબી સ્થિતિવાળાં કર્મનો સંબંધ કેમ બતાવ્યો છે? ઉત્તર- ત્યાં પણ સંબંધ તો વર્તમાન એક સમય પુરતો જ છે; પરંતુ જીવ જો વિભાવ પ્રત્યેનો જ પુરુષાર્થ ચાલુ રાખશે અને જો સમ્યગ્દર્શનાદિરૂપ સત્ય પુરુષાર્થ નહિ કરે તો તેનો કર્મ સાથેનો સંબંધ ક્યાં સુધી રહેશે તે જણાવ્યું છે. ૩. આ સૂત્રમાં સક્કષાયત્વાન્ શબ્દ છે તે જીવ અને કર્મ બન્નેને ( અર્થાત કષાયરૂપ ભાવ અને કષાયરૂપ કર્મ એ બન્નેને) લાગુ પડી શકે છે; અને એ પ્રમાણે લાગુ પાડતાં તેમાંથી નીચેના નિયમો નીકળે છે. (૧) અનાદિથી જીવ કદી પણ શુદ્ધ થયો નથી પણ કષાયસહિત જ છે અને તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy