________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૧૯-૨૦ ]
[ ૪૨૫ ટીકા ૧. આ સૂત્રને સત્તરમા સૂત્રથી જાદું લખવાનું કારણ એ છે કે આ સૂત્રમાં જણાવેલી બાબત દેવાયુના આસવનું પણ કારણ થાય છે.
૨. અહીં “સ્વભાવ' નો અર્થ “આત્માનો શુદ્ધ સ્વભાવ” એમ ન સમજવો; કેમ કે નિજસ્વભાવ બંધનું કારણ હોય નહિ. અહીં “સ્વભાવ' નો અર્થ “કોઈએ શીખવ્યા વગર” એમ થાય છે. માર્દવ પણ આત્માનો એક શુદ્ધભાવ છે. પરંતુ અહીં
મારૂંવ' નો અર્થ “શુભભાવરૂપ (મંદકષાયરૂપ) સરળ પરિણામ” એમ કરવો; કેમ કે શુદ્ધભાવરૂપ માર્દવ છે તે બંધનું કારણ નથી પણ શુભભાવરૂપ માર્દવ છે તે જ બંધનું કારણ છે. || ૧૮
બધાં આયુઓના આસવનું કારણ
નિ:શીનવ્રતત્ત્વ વ સર્વેષામા ??? અર્થ- [ નિ:શૌનવ્રતત્ત્વ ૪] શીલ અને વ્રતનો અભાવ તે પણ [ સર્વેષાન્] બધા પ્રકારનાં આયુના આસ્રવનું કારણ છે.
ટીકા ૧. પ્રશ્ન- જે વ્રત અને શીલ રહિત હોય તેને દેવાયુનો આસ્રવ કેમ થાય?
ઉત્તર:- ભોગભૂમિના જીવોને શીલ-વ્રતાદિ નથી તોપણ દેવાયુનો જ આગ્નવ થાય છે.
૨. એ વાત ખાસ લક્ષમાં રાખવી કે મિથ્યાષ્ટિને સાચાં શીલ કે વ્રત હોતાં નથી. મિથ્યાદષ્ટિ જીવ ગમે તેવા શુભરાગરૂપ શીલવ્રત પાળતો હોય તો પણ તે સાચાં શીલવતરહિત જ છે. સમ્યગ્દષ્ટિ થયા પછી જીવ અણુવ્રત કે મહાવ્રત ધારણ કરે તેટલાથી તે જીવ આયુના બંધરહિત થઈ જતો નથી, સમ્યગ્દષ્ટિનાં સાચાં અણુવ્રત અને મહાવ્રત દેવાયુના આસવનું કારણ છે કેમ કે તે પણ રાગ છે. માત્ર વીતરાગભાવ જ બંધનું કારણ ન થાય; કોઈ પણ પ્રકારનો રાગ હોય તે તો આગ્નવ અને બંધનું કારણ થાય જ. હવે પછીના ( ૨૦ મી) સૂત્રમાં તે સ્પષ્ટ કર્યું છે. બાળપ” આમ્રવનું કારણ છે એમ ૧૨ તથા ૨૦ મા સૂત્રમાં કહ્યું છે. || ૧૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com