________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. પ ઉપસંહાર ]
[ ૩૭૭ રહેવામાં અધર્મદ્રવ્ય નિમિત્તરૂપ છે. ૫. ટોપી પહેલાં સીધી હતી, અત્યારે વાંકી છે અને હવે પછી અમુક વખત સુધી તે રહેશે-આમ જાણ્યું ત્યાં “કાળ' સિદ્ધ થઈ ગયો. ભૂત, વર્તમાન, ભવિષ્ય અથવા તો જાનું-નવું, દિવસ, કલાક વગેરે જે ભેદો પ્રવર્તે છે તે ભેદો કોઈ એક મૂળ વસ્તુ વગર હોઈ શકે નહિ. ઉપર્યુક્ત બધા ભેદો કાળ દ્રવ્યના છે, જો કાળદ્રવ્ય ન હોય તો “નવું-જૂનું,' “પહેલાં-પછી ” એવી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહિ, માટે કાળદ્રવ્ય સિદ્ધ થયું. ૬. આ રીતે ટોપી ઉપરથી છ દ્રવ્યો સિદ્ધ થયાં.
આ છ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્ય ન હોય તો જગતવ્યવહાર ચાલી શકે નહિ. જો પુદ્ગલ ન હોય તો ટોપી જ ન હોય, જો જીવ ન હોય તો ટોપીનું હોવાપણું કોણ નક્કી કરે ? જો આકાશ ન હોય તો ટોપી ક્યાં છે તે ઓળખાવી શકાય નહિ, જો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ન હોય તો ટોપીમાં થતો ફેરફાર (ક્ષેત્રાતર અને સ્થિરતા) ઓળખાવી શકાય નહિ, અને જો કાળદ્રવ્ય ન હોય તો “પહેલાં' જે ટોપી સીધી હતી તે જ “અત્યારે વાંકી છે-એમ પૂર્વે અને પછી ટોપીનું હોવાપણું નક્કી ન થઈ શકે, માટે ટોપીને સિદ્ધ કરવા માટે છએ દ્રવ્યનો સ્વીકાર કરવો પડે છે. જગતની કોઈ પણ એક વસ્તુને કબૂલતાં વ્યક્તપણે કે અવ્યક્તપણે છે એ દ્રવ્યનો સ્વીકાર થઈ જાય છે.
મનુષ્ય શરીર ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ આ શરીર તો નજરે દેખાય છે, તે પુગલનું બનેલું છે અને શરીરમાં જીવ રહેલો છે. જીવ અને પુદ્ગલ એક આકાશની જગ્યામાં રહ્યા હોવા છતાં બન્ને જુદાં છે. જીવનો સ્વભાવ જાણવાનો છે અને પુદ્ગલનું આ શરીર કાંઈ જાણતું નથી. શરીરનો કોઈ ભાગ કપાઈ જવા છતાં જીવનું જ્ઞાન કપાઈ જતું નથી, જીવ તો આખો જ રહે છે કેમ કે શરીર અને જીવ સદાય જુદાં જ છે. બન્નેનું સ્વરૂપ જુદું છે. અને બન્નેનાં કામ પણ જુદાં જ છે. આ જીવ અને પુદ્ગલ તો સ્પષ્ટ છે. ૧-૨. જીવ અને શરીર ક્યાં રહેલાં છે? અમુક ઠેકાણે પાંચ ફૂટ જગ્યામાં, બે ફૂટ જગ્યામાં વગેરેમાં રહેલાં છે, આ રીતે “જગ્યા” કહેતાં આકાશદ્રવ્ય સિદ્ધ થયું. ૩.
એ ધ્યાન રાખવું કે જીવ અને શરીર આકાશમાં રહ્યાં છે એમ કહેવાય છે ત્યાં ખરેખર જીવ, શરીર અને આકાશ ત્રણે સ્વતંત્ર જુદાં જુદાં જ છે, કોઈ એક બીજાના સ્વરૂપમાં ઘૂસી ગયાં નથી. જીવ તો જાણનાર સ્વરૂપે જ રહ્યો છે; રંગ, ગંધ વગેરે શરીરમાં જ છે પણ આકાશ કે જીવ વગેરે કોઈમાં તે નથી; આકાશમાં રંગ, ગંધ વગેરે નથી તેમ જ જ્ઞાન પણ નથી, તે અરૂપી-અચેતન છે; જીવમાં જ્ઞાન છે પણ રંગ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com