________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ ઉપસંહાર ]
[ ૨૯૭ ભૂલ તે “જીવતત્ત્વ” ની વિપરીત શ્રદ્ધા છે અને બીજી ભૂલ તે “અજીવતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. (જ્યાં એક તત્ત્વની ઊંધી શ્રદ્ધા હોય ત્યાં બીજાં તત્ત્વોની પણ ઊંધી શ્રદ્ધા હોય જ]
આ વિપરીત શ્રદ્ધાને કારણે જીવ શરીરનું કરી શકે-હલાવી-ચલાવી ઉઠાડીબેસાડી–સુવડાવી શકે, શરીરની સંભાળ કરી શકે એમ માન્યા કરે છે; જીવતત્ત્વ સંબંધી આ ઊંધી શ્રદ્ધા અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાન વડે ટળે છે.
શરીર સારું હોય તો જીવને લાભ થાય, ખરાબ હોય તો નુકસાન થાય; શરીર સારું હોય તો જીવ ધર્મ કરી શકે, ખરાબ હોય તો ધર્મ ન કરી શકે એ વગેરે પ્રકારે અજીવતત્ત્વસંબંધી ઊંધી શ્રદ્ધા કર્યા કરે છે, તે ભૂલ પણ અતિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાન વડે ટળે છે.
જીવ જીવથી અતિરૂપે અને પરથી અતિરૂપે નથી-પણ નાસ્તિરૂપે છે એમ જ્યારે યથાર્થપણે જ્ઞાનમાં નક્કી કરે છે ત્યારે દરેક તત્ત્વ યથાર્થપણે ભાસે છે; તેમજ જીવ પરદ્રવ્યોને સંપૂર્ણપણે અકિંચિત્થર છે તથા પરદ્રવ્યો જીવને સંપૂર્ણપણે અકિંચિત્કર છે કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નાસ્તિ છે, આમ ખાતરી થાય છે અને તેથી જીવ પરાશ્રયી પરાવલંબીપણું મટાડી સ્વાશ્રયી-સ્વાવલંબી થાય છે, તે જ ધર્મની શરૂઆત છે.
જીવનો પર સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો છે તેનું જ્ઞાન આ બે ભંગો વડ કરી શકાય છે. નિમિત્ત પરદ્રવ્ય હોવાથી નૈમિત્તિક-જીવને તે કાંઈ કરી શકે નહિ, માત્ર આકાશપ્રદેશે એક ક્ષેત્રાવગાહરૂપે કે સંયોગ-અવસ્થારૂપે હાજર હોય; પણ નૈમિત્તિક તે નિમિત્તથી પર છે અને નિમિત્ત તે નૈમિત્તિકથી પર છે તેથી એકબીજાને કાંઈ કરી શકે નહિ. નૈમિત્તિકના જ્ઞાનમાં નિમિત્ત પરયરૂપ જણાય છે. બીજાથી ચોથા અધ્યાય સુધીમાં આ અસ્તિ-નાસ્તિ સ્વરૂપ
ક્યાં ક્યાં બતાવ્યું છે તેનું વર્ણન અ. ૨. સૂ. ૧ થી ૭. જીવના પાંચ ભાવો પોતાથી અસ્તિરૂપે છે અને પરથી નાસ્તિરૂપે છે એમ જણાવે છે.
અધ્યાય ૨. સૂત્ર ૮-૯. જીવનું લક્ષણ અતિરૂપે શું છે તે જણાવે છે; ઉપયોગ જીવનું લક્ષણ છે એમ કહેતાં બીજું કોઈ લક્ષણ જીવનું નથી એમ પ્રતિપાદન થયું. જીવ પોતાના લક્ષણથી અતિરૂપે છે અને તેથી જ પરની તેમાં નાસ્તિ આવી –એમ જણાવે છે.
અ. ૨. સૂત્ર. ૧૦. જીવના વિકારી તેમજ શુદ્ધ પર્યાય જીવથી અતિરૂપે છે અને પરથી નાસ્તિરૂપે અર્થાત્ પરથી થતા નથી એમ જણાવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com