________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૨૪-૨૫-૨૬ ]
[ ૨૮૯ લૌકાંતિક દેવો વહ્મનોવેનિયા સૌત્તિ 1:1 ર૪ ા અર્થ - જેમનું નિવાસસ્થાન પાંચમું સ્વર્ગ (બ્રહ્મલોક) છે તે લોકાંતિક દેવો છે.
ટીકા આ દેવો બ્રહ્મલોકના અંતમાં રહે છે, તથા એક ભાવાવતારી (એકાવતારી) છે તેથી લોકનો અંત( –સંસારનો નાશ) કરવાવાળા છે તેથી તેમને લૌકાંતિક કહેવાય છે; તેઓ દ્વાદશાંગના પાઠી હોય છે. ચૌદપૂર્વના ધારક હોય છે, બ્રહ્મચારી રહે છે અને તીર્થંકરપ્રભુના તપકલ્યાણકમાં આવે છે, તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. તે ૨૪
લૌકાંતિક દેવોનાં નામો सारस्वतादित्यवह्नयरुणगर्दतोयतुषिताव्याबाघारिष्टाश्च ।। २५ ।।
અર્થ:- લૌકાંતિક દેવોના આઠ પ્રકાર છે-૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વતિ; ૪, અરુણ, ૫. ગર્દતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. અરિષ્ટ. આ દેવો બ્રહ્મલોકની ઐશાન વગેરે આઠ દિશાઓમાં રહે છે.
ટીકા આ દેવોના આ આઠ મૂળ ભેદો છે અને તે આઠના રહેવાનાં સ્થાનની વચ્ચેના ભાગમાં રહેનારા દેવોનાં બીજા સોળ પ્રકાર છે; આ રીતે કુલ ચોવીસ ભેદો છે. આ દેવોનાં સ્વર્ગના નામ તેમના નામ અનુસાર જ છે, તેઓ બધા સરખા છે, તેમનામાં કોઈ નાનું-મોટું નથી, સૌ સ્વતંત્ર છે, તેમની કુલ સંખ્યા ૪૦૭૮૨૦ છે. સૂત્રમાં આઠ નામો આપીને છેડે “' શબ્દ મૂક્યો છે તે એમ સૂચવે છે કે આ આઠ સિવાયના બીજા ભેદો પણ છે. | ૨૫
અનુદિશ અને અનુત્તરવાસી દેવોના અવતારનો નિયમ
વિનયાતિષ દ્વિવરમ: 7 રદ્દ ા અર્થ- વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને અનુદિશ વિમાનોના અહમિન્દ્રો દ્વિચરમી હોય છે અર્થાત્ મનુષ્યના બે જન્મ (ભવ ) કરી અવશ્ય મોક્ષ જાય છે. (આ બધા જીવો સમ્યગ્દષ્ટિ જ હોય છે.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com