________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ].
[ મોક્ષશાસ્ત્ર છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી સિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવળી-સિદ્ધભગવાનને સમ્યકત્વગુણ તો સમાન જ કહ્યો. વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે
સંવર-નિર્જરા વડે મોક્ષનો ઉપાય કરવો,” હવે મુક્ત અવસ્થા થતાં એમ માનવા લાગ્યો કે-સંવરનિર્જરા વડે મને મુક્તદશા પ્રાપ્ત થઈ.' પહેલાં જ્ઞાનની હીનતાથી જીવાદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળજ્ઞાન થતાં તેના સર્વ ભેદો જાણે છે પરંતુ મૂળભૂત જીવાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે. જોકે કેવળી-સિદ્ધભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે તોપણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી તેથી સમ્યકત્વગુણના સાત તત્ત્વોનું શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે. કેવળી-સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસારઅવસ્થાને ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું જ બળ જાણવું.
પ્રશ્ન- સમ્યગ્દર્શનને તો મોક્ષમાર્ગ કહ્યો હતો, તો મોક્ષમાં તેનો સદ્દભાવ કેવી રીતે કહો છો ?
ઉત્તર:- કોઈ કારણો એવા પણ હોય છે કે-કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતાં નથી. જેમકે કોઈ વૃક્ષને કોઈ એક શાખા વડે અનેક શાખાયુક્ત અવસ્થા થઈ હોય, તેના હોવા છતાં પણ તે એક શાખા નષ્ટ થતી નથી; તેમ કોઈ આત્માને સમ્યકત્વગુણ વડ અનેક ગુણયુક્ત મોક્ષ અવસ્થા પ્રગટ થઈ, હવે તે હોવા છતાં પણ સમ્યકત્વગુણ નષ્ટ થતો નથી. એ પ્રમાણે કેવળી-સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ હોય છે જે માટે ત્યાં અવ્યાતિપણું નથી.
અતિવ્યામિ દૂષણનો પરિહાર પ્રશ્ન- મિથ્યાદષ્ટિને પણ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણ હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે, અને શ્રી પ્રવચનસારમાં આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે. માટે સમ્યકત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું તેમાં અતિવ્યાતિદૂષણ લાગે છે?
ઉત્તર:- મિથ્યાષ્ટિને જે તત્ત્વશ્રદ્ધાને કહ્યું છે તે નામનિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્ત્વશ્રદ્ધાનનો ગુણ તો નથી પણ વ્યવહારમાં જેનું નામ તત્ત્વશ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાષ્ટિને હોય છે અથવા આગમદ્રવ્યનિક્ષેપથી હોય છે, અર્થાત્ તત્ત્વાર્થશ્રદ્ધાનના પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી, એમ જાણવું અને અહીં જે સમ્યકત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું, તે તો ભાવનિક્ષેપથી કહ્યું છે એટલે ગુણ સહિત સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન મિથ્યાદષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com