SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬] [ મોક્ષશાસ્ત્ર મતિ આદિ જ્ઞાનોનું આવરણ કેવળજ્ઞાનાવરણના નાશ થવાની સાથે જ પૂરેપૂરું નષ્ટ થાય છે. [ જુઓ, સૂત્ર ૩૦ ની ટીકા ] એક સાથે સર્વથા જાણવાનું એક એક જીવમાં સામર્થ્ય છે. ૨૯ મા સૂત્રનો સિદ્ધાંત હું પરને જાણું તો મોટો ' એમ નહિ, પણ મારું બેહદ સામર્થ્ય અનંતજ્ઞાનઐશ્વર્યપણે હોવાથી હું પૂર્ણજ્ઞાનઘન સ્વાધીન આત્મા છું એમ પૂર્ણ સાધ્યને દરેક જીવે નક્કી કરવું જોઈએ; એમ નક્કી કરી સ્વથી એકત્વ અને પરથી વિભક્ત (ભિન્ન) પોતાના એકાકાર સ્વરૂપ તરફ જીવે વળવું જોઈએ, પોતાના એકાકાર સ્વરૂપ તરફ વળતાં સમ્યગ્દર્શન પ્રગટી ક્રમે ક્રમે જીવ આગળ વધે છે અને તેની પૂર્ણ જ્ઞાનદશા થોડા વખતમાં પ્રગટે છે. | ૨૯ એક જીવને એક સાથે કેટલાં જ્ઞાન હોઈ શકે છે? एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्यः ।। ३०।। અર્થ- [ મિન] એક જીવમાં [ યુ/પત] એક સાથે [ વાવનિ] એકથી શરૂ કરીને [કાવતરૂં] ચાર જ્ઞાન સુધી [ભાળ્યાનિ] વિભક્ત કરવા યોગ્ય છે અર્થાત્ હોઈ શકે છે. ટીકા (૧) એક જીવને એક સાથે એકથી શરૂ કરી ચાર જ્ઞાન સુધી હોઈ શકે છે; એક જ્ઞાન હોય તો કેવળજ્ઞાન હોય છે; બે હોય તો મતિ અને શ્રત હોય છે; ત્રણ હોય તો મતિ, શ્રુત અને અવધિ અગર મતિ, શ્રુત અને મન:પર્યયજ્ઞાન હોય છે; ચાર હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય જ્ઞાન હોય છે. એકી સાથે પાંચ જ્ઞાનો કોઈને હોતાં નથી. વળી એક જ જ્ઞાન એક વખતે ઉપયોગરૂપ હોય છે. કેવળજ્ઞાન પ્રગટયું ત્યારથી તે કાયમ માટે ટકે છે; બીજાં જ્ઞાનનો ઉપયોગ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત હોય છે, તેથી વધારે હોતો નથી, પછી જ્ઞાનના ઉપયોગનો વિષય બદલે જ છે. કેવળી સિવાય બધા સંસારી જીવોને ઓછામાં ઓછા બે એટલે કે મતિ અને શ્રુતજ્ઞાન હોય જ છે. (૨) ક્ષાયોપથમિક જ્ઞાન ક્રમવર્તી છે, એક કાળમાં એક જ પ્રવર્તે છે; પણ અહીં જે ચાર જ્ઞાન એકી સાથે કહ્યાં છે તે ચારનો ઉઘાડ એકી વખતે હોવાથી ચાર જ્ઞાનની જાણનરૂપ લબ્ધિ એક કાળમાં હોય એમ કહેવું છે, ઉપયોગ તો એક કાળે એક સ્વરૂપે જ હોય છે. IT ૩O Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy