________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૧૭–૧૮ ]
[૫૭
આ સૂત્ર પ્રમાણે મતિજ્ઞાનના ભેદોની સંખ્યા નીચે મુજબ છેઃ
અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા એ ૪,
પાંચ ઇન્દ્રિય અને મન એ છ દ્વારા ઉપરના ચાર પ્રકારે જ્ઞાન, [ ૪×૬ ] = ૨૪ તથા વિષયોની અપેક્ષાએ બહુ-બહુવિધ આદિ ૧૨= [૨૪×૧૨] ૨૮૮ ભેદો છે. ।। ૧૬।।
અવગ્રહાદિના વિષયભૂત પદાર્થભેદો જે ઉ૫૨ કહ્યા
તે ભેદો કોના છે ? અર્થસ્ય ।। ૧૦ ।।
અર્થ:- ઉ૫૨ કહેલા બાર અથવા ૨૮૮ ભેદો [અર્થચ] પદાર્થના (દ્રવ્યનાવસ્તુના ) છે.
ટીકા
આ ભેદો વ્યક્ત પદાર્થના કહ્યા છે; અવ્યક્ત પદાર્થને માટે અઢારમું સૂત્ર કહેશે.
કોઈ કહે કે–‘ રૂપાદિ ગુણો જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે, માટે રૂપાદિ ગુણોનો જ અવગ્રહ થાય છે- નહિ કે દ્રવ્યોનો.' આ કહેવું બરાબર નથી– એમ અહીં બતાવ્યું છે. ‘ ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ જણાય છે' એમ બોલવાનો માત્ર વ્યવહાર છે; રૂપાદિગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી એવો વ્યવહાર થયો છે કે ‘મેં રૂપ જોયું, મેં ગંધ સૂંઘી; ' પણ ગુણ-પર્યાય દ્રવ્યથી જુદા નહિ હોવાથી પદાર્થનું જ્ઞાન થાય છે ઇન્દ્રિયોનો સંબંધ પદાર્થો સાથે થાય છે, માત્ર ગુણ-પર્યોયો સાથે થતો નથી. ।। ૧૭।। અવગ્રહજ્ઞાનમાં વિશેષતા
'
व्यञ्जनस्यावग्रह ।। १८ ।।
અર્થ:- વ્યગ્નનસ્ય] અપ્રગટરૂપ શબ્દાદિ પદાર્થોનું [અવગ્રહ] માત્ર અવગ્રહ-જ્ઞાન થાય છે-ઇહાદિક ત્રણ જ્ઞાન થતાં નથી.
ટીકા
અવગ્રહના બે ભેદ છે–(૧) વ્યંજન-અવગ્રહ (૨) અર્થ-અવગ્રહ. વ્યંજનાવગ્રહ:- અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે છે. અર્થાવગ્રહ-વ્યક્ત-પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com