SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮] [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો અનુભવ પણ શા માટે કરવામાં આવે છે? માટે દ્રવ્યદષ્ટિ વડે તો એક દશા છે અને પર્યાયદષ્ટિ વડે અનેક અવસ્થા થાય છે-એમ માનવું યોગ્ય છે. સામાન્યને સ્વીકારે અને વિશેષને ન સ્વીકારે તે નિશ્ચયાભાસી છે; અને વિશેષને સ્વીકારે પણ સામાન્યને ન સ્વીકારે તો વ્યવહારાભાસી છે; તે બન્ને મિથ્યાદષ્ટિ છે. માટે સામાન્ય વિશેષ-બન્નેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. આ નિશ્ચય-વ્યવહારનું યથાર્થ જ્ઞાન કરવું તે પ્રયોજનભૂત છે. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પૃ. ર૬૪ માં કહેલ છે કે-જીવાદિ દ્રવ્યો અથવા તત્ત્વોને પીછાણવા અને જે ત્યાગવાયોગ્ય મિથ્યાત્વાદિ છે તે જાણવા અને ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિને પણ બરાબર જાણવાં. વળી નિમિત્તનૈમિત્તિકસંબંધને પણ બરાબર જાણવો જોઈએ; કેમ કે એને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. નય-પ્રમાણયુક્તિ વડ વસ્તુને જાણવી. માટે એકલા નિશ્ચયને નહિ માનતાં બન્ને નયોનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. જે એકલા નિશ્ચયનો સ્વીકાર કરે છે તે મિથ્યાદષ્ટિ છે. એ જ પ્રમાણે તે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયનયના અભિપ્રાયથી વિરૂદ્ધ શ્રદ્ધાનાદિક કરે છે. જિનવાણીમાં તો નાના નય અપેક્ષાએ કોઈ ઠેકાણે કેવું તથા કોઈ ઠેકાણે કેવું નિરૂપણ કર્યું છે. એને બરાબર ન સમજતાં આ અજ્ઞાની પોતાના અભિપ્રાયથી નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન કર્યું હોય તેને જ ગ્રહણ કરી મિથ્યાદષ્ટિપણાને ધારણ કરે છે, એટલે કે એકાંત એક જ પક્ષને તે ગ્રહણ કરે છે. આત્માની પર્યાયમાં વિકાર છે અને નિમિત્ત કર્મ છે એમ જાણવું તે વ્યવહાર છે; પણ તેને આદરણીય માનવો તે વ્યવહારનયનું સાચું જ્ઞાન નથી. નિશ્ચયનયનો વિષય ત્રિકાળ જ્ઞાતાસ્વભાવ છે. એનો આશ્રય કરીને રાગ-વિકારનો નાશ થાય છે, એમ જાણવું તેને નિશ્ચયનયનું યથાર્થ જ્ઞાન કર્યું કહેવાય છે. નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનય જાણવાયોગ્ય છે એમ સમજવું તે બન્ને નયનું સાચું જ્ઞાન છે. આમ બન્નેનું જ્ઞાન કરવું તે પ્રમાણ છે. કોઈ એમ કહે કે બન્ને નય સમકક્ષી છે માટે નિશ્ચયનયની જેમ વ્યવહારનય પણ આદરણીય છે, તો તે વાત પણ બરાબર નથી. ત્રિલોકનાથ તીર્થંકરદેવ તો એમ કહે છે કે સ્વભાવનો આશ્રય લઈને વ્યવહારને છોડો, ત્યારે અજ્ઞાની કહે છે કે વ્યવહારને આદરો; માટે અજ્ઞાનીની વાત બરાબર નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy