SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો દેવ વગેરેનાં જે શરીર છે તે જીવ નથી. જીવ તો તેનાથી જુદો ચૈતન્યમય છે. (૨) ગુણ-ગુણી ભેદથી કથન કર્યું કે જ્ઞાન તે જીવ, દર્શન તે જીવ; ત્યાં એવો નિર્ણય કરવો કે જીવ વસ્તુ તો અનંતગુણથી અભેદ છે. (૩) વ્રતાદિ ભેદોને મોક્ષમાર્ગ કહ્યો, ત્યાં એવો નિર્ણય કરવો કે વ્રતાદિનો રાગ કે બાહ્યક્રિયા તે ખરેખર મોક્ષમાર્ગ નથી. ખરેખર મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે. વ્યવહારનય કાર્યકારીનો અર્થ!! એ પ્રમાણે દરેક ઠેકાણે વ્યવહારકથન હોય તેમાં પરમાર્થનો નિર્ણય કરવો પણ વ્યવહારકથનને જ ન વળગી રહેવું. પરમાર્થ વસ્તુનો નિર્ણય કરવો તે જ પ્રયોજન છે અને વ્યવહારનયનું કથન તેમાં નિમિત્ત છે; તે નિમિત્તપણાની અપેક્ષાએ વ્યવહારને કાર્યકારી રહ્યો છે, પણ જે પરમાર્થનો નિર્ણય કરે તેને વ્યવહાર નિમિત્ત કહેવાય છે. અનાદિથી પરમાર્થ તત્ત્વ સમજ્યો નથી તેથી તેનો નિર્ણય કરવામાં વચ્ચે ભેદનો વિચાર આવ્યા વિના રહેતો નથી; પણ તે વ્યવહારને ઉપચાર માત્ર માનીને પરમાર્થ વસ્તુનો નિર્ણય કરે તો તેને વ્યવહાર કાર્યકારી એટલે કે નિમિત્ત કહેવાય; પણ નિશ્ચયની માફક વ્યવહારકથનને પણ સત્યભૂત માની લે અને તેવું જ શ્રદ્ધાન કરી લે તો તેને તો ઊલટો વ્યવહારનય અકાર્યકારી થઈ જાય, “મનુષ્યનો જીવ’ એમ કહેતાં જીવને તો ન સમજે અને મનુષ્યશરીરને જ જીવ માની લે તો તેને મિથ્યાશ્રદ્ધા જ દઢ થાય છે. તે જ પ્રમાણે વ્રતાદિ શુભરાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો ત્યાં તે રાગને જ ખરેખર મોક્ષમાર્ગ માની લે અને વીતરાગભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગને ન ઓળખે તો તેને મિથ્યાશ્રદ્ધા જ થાય છે. તેથી તેને વ્યવહારનય અકાર્યકારી થયો. તથા ગુણ-ગુણીના ભેદથી કથન કરીને સમજાવ્યું ત્યાં તે ભેદના લક્ષમાં જ રોકાઈ જાય ને અભેદનું લક્ષ ન કરે તો તેને પણ વ્યવહારનય કાર્યકારી ન થયો. માટે જે નિશ્ચયનું અવલંબન લઈને જીવનું પરમાર્થ સ્વરૂપ સમજે છે તેને જ ભેદકથન-વ્યવહાર કહેવાય છે. પરમાર્થ ન સમજે તો તેને વ્યવહાર પણ નથી. કેમકે એવો વ્યવહાર તો અનાદિથી કર્યો છે. જે જીવ પરમાર્થને સમજતો નથી. અને વ્યવહારને જ સત્યભૂત માની લે છે તેને તો વ્યવહાર કાંઈ કાર્યકારી નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy