SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [૧૮૧ તેને ચારિત્રદશા કહેવાય છે. પર્યાયમાં જે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તેનું જ્ઞાન ગોમ્મદસારમાં કરાવ્યું છે; અને દ્રવ્યાનુયોગ, પર્યાય આદિના ભેદ છોડીને અભેદ સ્વરૂપનું અવલંબન કરો એમ કહે છે. શાસ્ત્રમાં એવું કથન આવે કે જ્ઞાનાવરણીય કર્મથી આત્માનું જ્ઞાન રોકાઈ છે, તો તે નિમિત્તનું કથન છે. મોહનીય કર્મના કારણે રાગદ્વેષ થાય છે એમ છે જ નહિ. રાગદ્વેષમાં તે નિમિત્તમાત્ર છે-એમ બતાવવા એવું કથન કર્યું છે. ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. જે શાસ્ત્રોમાં ત્રણ લોકનું નિરૂપણ કર્યું હોય છે તેનો અભ્યાસ કરે, પણ એનું પ્રયોજન વિચારતો નથી, અભેદદષ્ટિ કરતો નથી, શુદ્ધોપયોગ કરતો નથી, તેને કાંઈ લાભ થતો નથી. અજ્ઞાની શાસ્ત્રનો અભ્યાસ કરે પણ તેનું પ્રયોજન વિચારે નહિ. તો તે મિથ્યાષ્ટિ છે. - સિદ્ધચક્રની પૂજા કરવાથી શરીરમાં કોઢ મટી જાય એવું શાસ્ત્રમાં નિમિત્તથી કથન આવે તેને કોઈ યથાર્થ જ માની લે તો તે મિથ્યાષ્ટિ છે. તે કથાનુયોગના પ્રયોજનને સમજતો નથી. પુરાણમાં પુણ્ય-પાપના ફળનું કથન છે. એમાં પુણ્યનું ફળ સારું માને તે કથાનુયોગના પ્રયોજનને સમજતો નથી. અને ચરણાનુયોગમાં પુણ્યપાપના પરિણામનું વર્ણન કર્યું છે એમાં પુણ્ય પરિણામથી ધર્મ થાય એમ માને તો તે ચરણાનુયોગના પ્રયોજનને સમજતો નથી. વળી કરણાનુયોગના અભ્યાસથી આત્માનું ભલું થાય એમ માને છે તે કરણાનુયોગના પ્રયોજનને સમજતો નથી. પોતાના અભેદ સ્વરૂપનો આશ્રય કરવો તે ત્રણે અનુયોગનું પ્રયોજન છે. એને સમજતો નથી, તેથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. હવે તત્ત્વજ્ઞાનનું કારણ અધ્યાત્મશાસ્ત્રો છે. તેનો તો અભ્યાસ કરે નહિ; દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો વિપરીત કરે છે, તેથી તે મિથ્યાદષ્ટિ રહે છે. ઘણા તો એમ કહે છે કે સમયસારશાસ્ત્ર મુનિ માટે છે. ઊંચી દશા થયા પછી વાંચવા જેવો છે એમ કહીને દ્રવ્યાનુયોગના અભ્યાસનો નિષેધ કરે છે. વળી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીને પણ જે અંતર પુરુષાર્થ કરતો નથી, પોતાનો અને પરનો યથાર્થ નિર્ણય કરતો નથી, અને આસ્રવાદિને જેમ છે તેમ જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે. અહીં અજ્ઞાનીને સમ્યજ્ઞાન અર્થે અયથાર્થ પ્રવૃત્તિ કેવી હોય છે તેનું કથન છે. તેમાં એમ કહે છે કે કદાપિ શાસ્ત્રપાઠી અજ્ઞાની મુખથી કોઈ વખત એવું પણ કથન કરે કે એનું નિમિત્ત પામીને પૂર્વે જેણે જ્ઞાની પાસે સત્ શ્રવણ કર્યું છે તેવા જીવને સમ્યગ્દર્શન થઈ જાય. અધ્યાત્મશાસ્ત્ર ભણીને પણ યથાર્થ નિર્ણય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy