SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ફાગણ સુદ ૮ શનિવાર, તા. ૨૧-૨-૫૩ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગ ભાવ છે; શુભભાવ ધર્મ નથી, પણ પુણ્ય છે ચોથું-પાંચમું-છઠું વગેરે ગુણસ્થાનો છે તેને જે ન માને તો તીર્થનો જ નાશ થઈ જશે; અને જે જીવ એકલા ભેદનો જ આશ્રય કરીને ધર્મ માને છે પણ નિશ્ચય અભેદ સ્વભાવને ઓળખતો નથી તે જીવને તત્ત્વનું ભાન નથી. નિશ્ચય વિના તો તત્ત્વનો જ લોપ થાય છે ને વ્યવહાર વગર તીર્થનો લોપ થાય છે; માટે બન્નેને જેમ છે તેમ જાણવા જોઈએ. યાત્રા-પૂજા વગેરેનો શુભભાવ તે ધર્મ નથી, પણ પુણ્ય છે. બહારની શરીરની ક્રિયાથી પુણ્ય નથી, પણ અંદર અંદરાગ કર્યો તેનાથી પુણ્ય છે. તેને બદલે શરીરની ક્રિયાથી પુણ્ય માને અને પુણ્યને ધર્મ માને-તે બન્ને ભૂલ છે. નિશ્ચયવ્યવહાર બન્નેને જાણીને નિશ્ચયનો આદર કરવો ને વ્યવહારને હેય કરવો-તે કરવાનું છે. જાણવાયોગ્ય બન્ને છે, પણ આદર કરવા યોગ્ય તો એક નિશ્ચય છે. મંદરાગ જુદી ચીજ છે ને ધર્મ જુદી ચીજ છે. ધર્મ તો વીતરાગભાવ છે. નિશ્ચય સ્વભાવની દષ્ટિ રાખીને, વચ્ચે રાગ આવે તેને જાણવો, પણ આદરણીય ન માનવો-તેનું નામ પ્રમાણજ્ઞાન છે. એકલા વ્યવહારના આશ્રયે ધર્મ માને ને નિશ્ચય શું છે તે ઓળખે નહિ–તો તે વ્યવહારાભાસી છે. તેનું આ વર્ણન ચાલે છે. તે વ્યવહારાભાસી જીવ શાસ્ત્ર વાંચે છે તો પદ્ધતિ પ્રમાણે વાંચી જાય છે, પણ તેના મર્મને સમજતો નથી. જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે, તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. સર્વશાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગભાવ છે. વીતરાગભાવ એટલે શું? સ્વભાવનું અવલંબન અને નિમિત્તની ઉપેક્ષા તે વીતરાગભાવ છે. પહેલાં વીતરાગી દષ્ટિ પ્રગટે ને પછી વીતરાગી ચારિત્ર પ્રગટે. પરદ્રવ્યો તો તારાથી ભિન્ન છે, તેનો તારામાં અભાવ છે, એટલે તારાથી તેને કાંઈ લાભ-નુકશાન થતું નથી ને તેનાથી તને કાંઈ લાભનુકશાન થતું નથી. તારી પર્યાયમાં રાગાદિ ભાવ થાય છે તે પણ ધર્મ નથી. ધર્મ ધ્રુવસ્વભાવના આશ્રયે વીતરાગભાવ પ્રગટે તેમાં છે. આવું ભાન કર્યા વગર શાસ્ત્ર વાંચી જાય-સાંભળી જાય કે બોલી જાય તેથી કાંઈ ધર્મ થતો નથી. અંદર શાસ્ત્રોનું તાત્પર્ય શું છે તે અજ્ઞાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy