SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૯૧ જોઈએ. વળી ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ભૃતાર્થ સ્વભાવના આશ્રયે ધર્મ થાય છે, વ્યવહા૨થી ધર્મ થતો નથી, એમ સમજવું જોઈએ. મોક્ષમાર્ગ વિષે દેવ-ગુરુધર્મની પરીક્ષા કરવી જોઈએ; તે મૂળ ૨કમ છે. કોઈ જીવ વ્યાજ આપે પણ મૂડી ન આપે તો તે મૂળ ૨કમ ઉડાડે છે. તેમ અહીં આ મૂળ ૨કમ છે. દિગમ્બર સંપ્રદાયમાં જન્મવામાત્રથી કામ ન આવે, પરીક્ષા કરવી જોઈએ. જે વ્યવહારથી ને બાહ્યલક્ષણથી દેવ-ગુરુ-શાસ્ત્રની પરીક્ષા કરતો નથી તેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું નથી એમ શ્રી ભાગચંદ્રજી ‘સત્તાસ્વરૂપ ’ માં કહે છે. દેવ, ગુરુ ને ધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. * ફાગણ સુદ ૪ મંગળવાર, તા. ૧૭-૨-૫૩ તત્ત્વની પરીક્ષા કરવી જોઈએ. જીવ દ્રવ્યલિંગ ધારી મુનિ ને શ્રાવક અનંતવા૨ થયો પણ આત્મજ્ઞાન વિના સુખ પામ્યો નહિ. પ્રશ્ન:- કુંદકુંદાચાર્ય તો જ્ઞાની હતા તો પણ વિદેહમાં કેમ ગયા ? ઉત્ત૨:- કુંદકુંદાચાર્યે પ્રથમ તત્ત્વની પરીક્ષા કરી હતી ને તેમને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર હતું. તત્ત્વના કોઈ સૂક્ષ્મ પડખાનો વિશેષ નિર્ણય કરવા માટે અથવા દઢતા માટે એવો વિકલ્પ આવ્યો હતો. સૂક્ષ્મ વાતની વિશેષ નિર્મળતા માટે ગયા હતા. તેમને સમ્યગ્દર્શન તો હતું જ, પ્રયોજનભૂત તત્ત્વની પરીક્ષા પહેલેથી કરી હતી. અહીં કહે છે કે-દેવ-ગુરુની પરીક્ષા કરવી જોઈએ, શ્વેતામ્બર કહે છે કે દેવને ક્ષુધા-તૃષા લાગે છે, પણ દેવનું તેવું સ્વરૂપ નથી; પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કર્યા વિના માને તો મિથ્યાદષ્ટિ છે. ગુરુની પરીક્ષા કરવી જોઈએ. બધા સંપ્રદાયવાળા પોતપોતાના દેવ-ગુરુ સાચા છે-એમ કહે છે; પણ એમ ન ચાલે, પરીક્ષા કરવી જોઈએ. જે શાસ્ત્રમાં પ્રયોજનભૂત વાત સત્ય હોય તો તેની સર્વ આજ્ઞા માનવી. જેમાં દેવ-ગુરુ-શાસ્ત્ર, નવ તત્ત્વ, બંધ–મોક્ષમાર્ગની વિપરીત વાત લખી હોય તેની આજ્ઞા ન માનવી. માટે માત્ર કુળરૂઢીથી માનવું યોગ્ય નથી. વળી જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠું બોલતો નથી તે પ્રયોજનરહિત Please inform us of any errors on [email protected]
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy