________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ પ્રમાણે આગમ, અધ્યાત્મની અનંતતા જાણવી.
તેમાં વિશેષ એટલું કે અધ્યાત્મનું સ્વરૂપ અનંત છે અને આગમનું સ્વરૂપ અનંતાનંતરૂપ છે. કારણ કે યથાર્થ પ્રમાણથી અધ્યાત્મ એક દ્રવ્યાશ્રિત, અને આગમ અનંતાનંત પુદ્દગલદ્રવ્યાશ્રિત છે.
તે બન્નેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળજ્ઞાનગોચર છે; અંશમાત્ર મતિ-શ્રુતજ્ઞાન ગાહ્ય છે. તેથી સર્વથા પ્રકારે આગમી, અધ્યાત્મી તો કેવળજ્ઞાની, અંશમાત્ર મતિ-શ્રુતજ્ઞાની, તથા દેશમાત્રજ્ઞાતા અવધિજ્ઞાની, મન:પર્યયજ્ઞાની છે; એ ત્રણે ( સર્વથા, અંશમાત્ર, દેશમાત્ર ) યથાવસ્થિત જ્ઞાનપ્રમાણ ન્યુનાધિકરૂપ જાણવા.
મિથ્યાદષ્ટિ જીવ ન આગમી છે, ન અધ્યાત્મી છે, કારણ કે તે કથનમાત્ર તો ગ્રંથપાઠના બળવડે આગમ-અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશમાત્ર કહે છે પરંતુ તે આગમ-અધ્યાત્મના સ્વરૂપને સમ્યકપ્રકારે જાણતો નથી. તેથી મૂઢજીવ ન આગમી કે ન અધ્યાત્મી છે. (કારણ કે તેને તે ભાવનું વેદન જ નથી ) યથા-નિર્દેવત્વાત્ા
હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો
જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ.
શામાટે ? તે સાંભળોઃ- મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમઅંગને એકાન્તપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે; અધ્યાત્મઅંગને વ્યવહા૨થી પણ જાણે નહિ એ મૂઢષ્ટિ જીવનો સ્વભાવ છે; તેને એ જ પ્રમાણે સૂજે છે.
શાથી ? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષપ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે, તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણઅંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર આવે નહિ; તેથી મિથ્યાદષ્ટિ જીવ (ગમે તેટલી બાહ્યક્રિયા કરતો છતો પણ) મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ છે. હવે:
સમ્યગ્દષ્ટિનો વિચાર સાંભળો
સમ્યગ્દષ્ટિ કોણ કહેવાય તે સાંભળોઃ- સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણ ભાવ જેનામાં નથી તે જીવ સમ્યગ્દષ્ટિ.
સંશય, વિમોહ અને વિભ્રમ શું? તેનું સ્વરૂપ દષ્ટાંતવડે દર્શાવે છે તે શ્રવણ કરો:- જેમકે ચાર પુરુષ કોઇ એક સ્થાનમાં ઊભા હતા. ત્યાં કોઇ અન્ય પુરુષે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com