________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી
[ ૩૫૯
કેવળજ્ઞાન છદ્મસ્થને છે નહિ, તેથી અનુભવમાં કેવળજ્ઞાન વા અવધિ-મન:પર્યયવડે આત્માનું જાણવું નથી. વળી અહીં આત્માને સ્પષ્ટ સારી રીતે જાણતો નથી તેથી પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી.
તથા જેમ નેત્રાદિવડે વર્ણાદિક જાણવામાં આવે છે તેમ એકદેશ નિર્મળતાસહિત પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી તેથી સાંવ્યવહારિક પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી.
અહીં તો આગમ-અનુમાનાદિક પરોક્ષ જ્ઞાનવર્ડ આત્માનો અનુભવ હોય છે. જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી તેને આગમ પરોક્ષપ્રમાણ કહીએ, અથવા “હું આત્મા જ છું કેમકે મારામાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા છે, જેમ કેઃ- સિદ્ધાદિક. વળી જ્યાં આત્મા નહિ ત્યાં જ્ઞાન પણ નહિ જેમ કે :મૃતક લેવાદિક.” એ પ્રમાણે અનુમાનવડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં પરિણામોને મન્ન કરે છે, તેથી તેને અનુમાન પરોક્ષપ્રમાણ કહીએ, અથવા આગમ-અનુમાનાદિવડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મન્ન કરે છે તેથી તેને સ્મૃતિ કહીએ, ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ–પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે, ત્યાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે, પરિણામ મગ્ન થતાં કંઈ વિશેષ જાણપણું હોતું નથી.
થાય?
પ્રશ્ન:- જો સવિકલ્પ-નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કેમ
સમાધાનઃ- સવિકલ્પદશામાં જ્ઞાન અનેક શેયોને જાણવારૂપે પ્રવર્તતું હતું, નિર્વિકલ્પદશામાં માત્ર આત્માને જ જાણવામાં પ્રવર્તે છે, એક તો એ વિશેષતા છે; બીજી એ વિશેષતા છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મ્યરૂપ થઈ પ્રવર્ત્ય, બીજી એ વિશેષતા થઈ.
એવી વિશેષતાઓ થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષય
સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી. તેથી એ આનંદને અતીન્દ્રિય કહે છે.
પ્રશ્ન:- અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો છે? ઉપરની ગાથામાં જ કહ્યું છે કે :- “ પથ્થો અખુદવો ખન્ના” તે કેમ છે?
k
સમાધાનઃ- અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ થયો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com