SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર [ ૩૪૭ કેવી રીતે થાય છે તે અહીં કહીએ છીએ-પ્રથમ ત્રણ કરણવડે મિથ્યાત્વના પરમાણુઓને મિશ્રમોહનીયરૂપે વા સમ્યકત્વમોહનીયરૂપે પરિણમાવે અથવા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિથ્યાત્વની સત્તાનો નાશ કરે, તથા મિશ્રમોનીયના પરમાણુઓને સમ્યકત્વમોહનીયરૂપે પરિણમાવે વા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિશ્રમોહનીયનો નાશ કરે. વળી સમ્યકત્વમોહનીયના નિષેકો ઉદયમાં આવી ખરી જાય, જો તેની સ્થિતિ આદિ ઘણી હોય તો તેને સ્થિતિકાંડકાદિક વડે ઘટાડે, જ્યારે અંતર્મુહૂર્ત સ્થિતિ રહે ત્યારે તે કૃતકૃત્ય વેદકસમ્યગ્દષ્ટિ થાય છે, અને અનુક્રમથી એ નિષેકોનો નાશ કરી ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થાય છે. પ્રતિપક્ષીકર્મના અભાવથી આ સમ્યકત્વ નિર્મળ છે વા મિથ્યાત્વરૂપી રંજનાના અભાવથી વીતરાગ છે. વળી એનો નાશ થતો નથી પણ જ્યારથી ઉત્પન્ન થાય ત્યારથી સિદ્ધ અવસ્થા સુધી તેનો સદ્દભાવ રહે છે. એ પ્રમાણે ક્ષાયિકસમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે સમ્યકત્વના ત્રણ ભેદો છે. વળી અનંતાનુબંધી કષાયની સમ્યકત્વ થતાં બે અવસ્થાઓ થાય છે-કાં તો અપ્રશસ્ત ઉપશમ થાય છે અગર વિસંયોજન થાય છે. ત્યાં જે કરણવડે ઉપશમવિધાનથી ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે. હવે અનંતાનુબંધીનો પ્રશસ્ત ઉપશમ તો થાય જ નહિ પણ મોહનીયની અન્ય પ્રકૃતિઓનો થાય છે. અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ થાય છે. વળી જે ત્રણ કરણવડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ પરિણમાવી તેની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. તેમાં પ્રથમોપશમસમ્યકત્વમાં તો અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ જ છે તથા દ્વિતીયોપશમસમ્યકત્વની પ્રાપ્તિ તો પ્રથમ અનંતાનુબંધીની વિસંયોજના થયા પછી જ થાય એવો નિયમ કોઈ આચાર્ય લખે છે અને કોઈ નથી લખતા. બીજું ક્ષયોપશમ-સમ્યકત્વમાં કોઈ જીવને અપ્રશસ્ત ઉપશમ થાય છે વા કોઈને વિસંયોજન થાય છે, તથા ક્ષાયિકસમ્યકત્વ છે તે પહેલાં અનંતાનુબંધીનું વિસંયોજન થયા પછી જ થાય છે એમ જાણવું. અહીં આટલું વિશેષ કે ઉપશમ અને ક્ષયોપશમસમ્યગ્દષ્ટિને તો અનંતાનુબંધીના વિસંયોજનથી સત્તાનો નાશ થયો હતો પણ જો તે ફરીને મિથ્યાત્વમાં આવે તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy