________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૪]
નગરશેઠ : મહારાજ! બીજી વાત એ છે કે સમસ્ત પ્રજાજનોને મહાપવિત્ર જૈનધર્મની પ્રાપ્તિ ચેલણા માતાના પ્રતાપે જ થઈ છે તેથી બધાય પ્રજાજનો તેમનું સન્માન કરીએ છીએ અને તેમને “સમસ્ત પ્રજાજનોના ધર્મમાતા....” તરીકે સ્વીકારીએ છીએ.
แ
( હર્ષનાદ )
શ્રેણીક: બરાબર છે શેઠજી! મને અને સમસ્ત પ્રજાજનોને મહારાણીના પ્રતાપે જ જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે... તેથી તમે તેમનું જે સન્માન કર્યું છે તે યોગ્ય જ છે! (દૂરથી અગર પડદામાંથી વાજિંત્રનો નાદ ) (માળી સામેથી દાખલ થાય છે.)
'
માળીઃ “ વધાઈ, મહારાજ વધાઈ !!!”
નાથ! સર્વેને આનંદ ઊપજે એવી મંગલ વધાઈ લાગ્યો છું. : ત્રિલોકનાથ દેવાધિદેવ ભગવાન શ્રી મહાવી૨ ૫રમાત્મા આપણી નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે, મહાસતી ચંદના પણ તેમની સાથે પધાર્યા છે.
(શ્રેણીક વગેરે બધા ઊભા થઈ જાય છે.)
શ્રેણીક: અહો ! ભગવાન પધાર્યા!! ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય! નમસ્કાર હો ત્રિલોકનાથ ભગવાનને !!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com