________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૨૯] શ્રેણીકઃ અરે! શું જૈનમુનિ!! ચલણાના ગુરુ! સૈનિક (૧) : જી હા! મહારાજ એ ચેલણાના ગુરુ છે. શ્રેણીક બસ! આજે હું મારા વેરનો બદલો વાળીશ.
ચેલણારાણીએ મારા બૌદ્ધગુરુનું અપમાન કર્યું હતું. હવે આજે તેના ગુરુનું અપમાન કરીને હું એનો બદલો
લઈશ. બીજો સૈનિકઃ રાજન! રાજ! આપને આ ન શોભે! મુનિરાજ
કેવા શાંત અને વીતરાગી છે! એમની સામે રોષ ન
હોય. શ્રેણીકઃ નહી, નહિ! હું મારા અપમાનનો બદલો લઈશ, ત્યારે
લા જ મને ચેન પડશે! જાવ સૈનિકો, એના ઉપર શિકારી
કૂતરા છોડી મૂકો. બીજો સૈનિકઃ (ગદ્ ગદ થઈને) મહારાજ ! આવું પાપકાર્ય
આપને નથી શોભતું. સૈનિક (૧) : મહારાજ! મુનિ ઉપર જે કૂતરા છોડ્યા હતા તે
તો મુનિને કાંઈ પણ કર્યા વગર, શાંત થઈને તેમની
પાસે બેસી ગયા.. હવે શું કરવું? બીજો સૈનિકઃ (ગદ્ગદ થઈને) રાજન્ ! રાજ! હજી પણ
ચેતો! અરે, જેમની શાંત મુદ્રા દેખીને આ કૂતરા જેવા પશુ પણ શાંત અને નમ્ર થઈ ગયા, એવા મુનિરાજ ઉપર ક્રોધ કરવો આપને ઉચિત નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com