________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૩] ચેલણાઃ મહારાજ! આ તમારી રાજગૃહીમાં મને ક્યાંય ચેન
પડતું નથી. શ્રેણીક: અરે, અહીં તમને શું દુઃખ છે? આ રાજપાટ, આ મહેલ,
નોકર-ચાકર બધું તમારું જ છે; તમારી ઈચ્છાનુસાર
તેનો ઉપભોગ કરો. ચલણાઃ રાજન! મારા પ્યારા જૈનધર્મ વગર આ રાજપાટને હું
શું કરું? સંસારમાં જૈનધર્મ સિવાય બીજો કોઈ ધર્મ સત્ય નથી. જેમ મડદા ઉપર શણગાર ન શોભે તેમ હે રાજા! જૈનધર્મ વગર આ તમારા રાજપાટ પણ શોભતા નથી. જૈનધર્મ વગરનું આ મહારાજપદ પણ વ્યર્થ છે. જૈનધર્મ સિવાય બીજું કાંઈ અમને પ્રિય
નથી. શ્રેણીકઃ સાંભળો દેવી ! જૈનધર્મને જ તમે ઉત્તમ સમજી રહ્યા છો,
પરંતુ તમે ભૂલો છો. મારો દઢ નિશ્ચય છે કે જગતમાં બૌદ્ધધર્મ જ મહા ધર્મ છે. આ રાજપાટ, લક્ષ્મી બધું
બૌદ્ધધર્મના પ્રતાપે જ મને મળ્યું છે. ચેલણાઃ નહિ, નહિ, રાજ! મારા જિનેન્દ્રભગવાન સર્વજ્ઞ છે, તે
સર્વજ્ઞ ભગવાને કહેલો અનેકાન્તમય જૈનધર્મ જ પરમ સત્ય છે. એ સિવાય જગતમાં બીજો કોઈ સત્યધર્મ છે જ નહિ. નાથ ! આ રાજપાટ મળ્યું તેનાથી આત્માની કાંઈ મહત્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com