SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates કલશ-૬ ધ્રુવધામના– ધ્યેયના- ધ્યાનની ધખતી ધૂણી ધગશને ધી૨જથી ધખાવવી તે ધર્મનો ધા૨ક ધર્મી ધન્ય છે. 66 પોતાનો ચિદાનંદ સત્ પ્રભુ તેને એટલે ધ્યેયને. ધી૨જથી ધ્યાનમાં ધ્રુવને ધ્યેય બનાવ. “ ધધકતી ધૂણી ધીરજથી ધખાવ. "9 “ધ્રુવધામના ધ્યેયની ”, સમ્યગ્દષ્ટિ કેવા હોય છે તેની વાત ચાલે છે. ધ્રુવધામ એટલે ભગવાન ધ્રુવ છે... અને ધામ એટલે સ્થળ, ધ્રુવસ્થળ. ( ધ્રુવ છે ) તે એક સમયની પર્યાય વિનાનું દ્રવ્ય છે. કેમ કે પર્યાય તો દ્રવ્યને વિષય કરે છે... અને વિષય છે તે ધ્રુવધામ છે. સમજમાં આવ્યું ? '' દ ૫૨મ અધ્યાત્મ તરંગિણી છે તેમાં ઘણી વખત સંસ્કૃતમાં આવ્યું છે કે- “ ધ્યાન વિષયી યિમા ” જે ધ્યાનનો વિષય બને તે ચીજ ધ્રુવ છે. અહીં “ ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધધકતી ધૂણી ”, પોતાના શાયક સ્વભાવની એકાગ્રતાથી “ ધધકતી ધૂણીને ધીરજથી.. ધૈર્યથી ધખાવવી.” અંદરમાં એકાગ્રતાથી ધીરજથી ધ્યાન ધખાવવું. તે રૂપ ધર્મનો ધા૨ક ધર્મી ધન્ય છે.” આવા ધર્મના ધરનારા ધર્મી ધન્ય છે. એક ૧૧ બોલના ૧ י એક બાર બોલનું ‘ધ ’ નું (સૂત્ર છે. ) “ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતાં વિચિત્ર રાગાદિરૂપ પરિણમે છે ત્યાં જ્ઞાનભાવનો કર્તા છે અને (તેને) જ્ઞાનભાવ છે અજ્ઞાનભાવ નથી.” સમ્યગ્દષ્ટિને રાગ તો છે અને તે રાગને ભોગવે છે એમ કહેવામાં આવે છે છતાં તે જ્ઞાનભાવનો કર્તા છે. તે રાગનો જ્ઞાતા થઈને રાગને જાણે છે. આવો માર્ગ છે ભાઈ ! આહાહા ! ધર્મી જીવને રાગ આવે છે છતાં તે રાગનો કર્તા ને ભોક્તા નથી. આ દૃષ્ટિ પ્રધાન કથન છે. જ્યાં જ્ઞાનપ્રધાન કથન હોય ત્યાં જેટલું રાગનું પરિણમન છે તેટલો કર્તા છે. “ પરિણમે સો કર્તા, ભોગવે સો ભોક્તા ” એટલું કથન છે. ( “ ય: પરિણમતિ સ હર્તા મવેત્” ૫૧ કળશમાં લીધું છે.) અને તે ભોગવે તો એટલો ભોક્તા પણ છે. જ્ઞાનીને બિલકુલ દુઃખ છે જ નહીં તેવું શાનની અપેક્ષાએ નથી. (૮ દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને દુઃખ અને રાગ-દ્વેષ છે જ નહીં. પરંતુ જ્ઞાનની અપેક્ષા લ્યો તો જ્ઞાનીને જેટલો રાગ છે તેટલું દુઃખ છે. મુનિને છઠ્ઠ ગુણસ્થાને ( બુદ્ધિપૂર્વક ) રાગનું વેદન છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે ત્રીજા શ્લોકમાં કહ્યું કે- “ જ્ઞાષિતાયા:” મારી પરિણતિ હજુ કલ્પાષિત છે. મુનિ કહે છે. હું દ્રવ્ય સ્વભાવથી તો શુદ્ધ ચૈતન્યમય છું. મારી પરિણતિ અનાદિથી કલુષિત છે. મુનિ થયો છતાં મેલી પરિણતિ તો અનાદિથી ચાલી આવે છે એ કાંઈ નવી નથી થઈ. Please inform us of any errors on [email protected]
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy