SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪ કલશામૃત ભાગ-૩ (શાર્દૂલવિક્રીડિત) मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन् मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च।।१२-१११।। ખંડાન્વય સહિત અર્થ:- “ર્મનયાવન્ડનYRI: HH:” (*) અનેક પ્રકારની ક્રિયા, એવો છે (નય) પક્ષપાત, તેનું (વનરૂન) -ક્રિયા મોક્ષમાર્ગ છે એમ જાણીને ક્રિયાનું-પ્રતિપાલન, તેમાં (TRI:) તત્પર છે જે કોઈ અજ્ઞાની જીવો તે પણ (મના:) પાણીના પૂરમાં ડૂબેલા છે. ભાવાર્થ આમ છે કે સંસારમાં ભટકશે, મોક્ષના અધિકારી નથી. શા કારણથી ડૂબેલા છે?“યત જ્ઞાનં નાનન્તિ” (યત) કારણ કે (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યવસ્તુનો (ન નાનન્તિ) પ્રત્યક્ષપણે આસ્વાદ કરવાને સમર્થ નથી, ક્રિયામાત્ર મોક્ષમાર્ગ એમ જાણીને ક્રિયા કરવાને તત્પર છે. “જ્ઞાનનષિg: પિ મHI:” (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યપ્રકાશ, તેનો (નિય) પક્ષપાત, તેના (fષણ:) અભિલાષી છે, [ ભાવાર્થ આમ છે કે-શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો નથી, પરંતુ પક્ષમાત્ર બોલે છે;] () એવા જીવો પણ (મન:) સંસારમાં ડૂબેલા જ છે. શા કારણથી ડૂબેલા જ છે? “યત તિરૂછદ્મન્તોમ:”(ચત) કારણ કે (તિસ્વચ્છન્ડ) ઘણું જ સ્વેચ્છા-ચારપણું છે એવા છે, (મન્તોમા:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. એવા છે જે કોઈ તેમને મિથ્યાષ્ટિ જાણવા. અહીં કોઈ આશંકા કરે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ એવી પ્રતીતિ કરતાં મિથ્યાષ્ટિપણું કેમ હોય છે? સમાધાન આમ છે-વસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કાળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે અશુદ્ધતારૂપ છે જેટલી ભાવ-દ્રવ્યરૂપ ક્રિયા તેટલી સહજ જ મટે છે. મિથ્યાદેષ્ટિ જીવ એવું માને છે કે જેટલી ક્રિયા છે તે જેવી છે તેવી જ રહે છે, શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. તેથી જે એવું માને છે તે જીવ મિથ્યાષ્ટિ છે, વચનમાત્રથી કહે છે કે શુદ્ધસ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે; એવું કહેવાથી કાર્યસિદ્ધિ તો કાંઈ નથી. “તે વિશ્વચ ઉપર તરન્તિ” (તે) એવા જે કોઈ જીવો સમ્યગ્દષ્ટિ છે તેઓ, (વિશ્વસ્ય પરિ) કહ્યા છે જે બે જાતિના જીવ તે બંને ઉપર થઈને, (તરત્તિ) સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેવા છે તે? “ सततं स्वयं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति, प्रमादस्य वशं जातु न यान्ति" (ये) જે કોઈ નિકટ સંસારી સમ્યગ્દષ્ટિ જીવો (સતત) નિરંતર (સ્વયં જ્ઞાન) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy