SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૦ ૩૬૯ પણ વિષયકષાયરૂપ પરિણમે છે, તે પરિણમન રાગરૂપ છે, અશુદ્ધરૂપ છે. તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે, વિરુદ્ધ નથી. “ન્તિ ” કોઈ વિશેષ છે, તે વિશેષ જેમ છે તેમ કહે છે- “સત્ર ”િ એક જ જીવને એક જ કાળે શુદ્ધપણું-અશુદ્ધપણું જોકે હોય છે તોપણ પોતપોતાનું કાર્ય કરે છે. “યત * *વશત: વાય સમુન્નસતિ” (ય) જેટલી (વર્મ) દ્રવ્યરૂપભાવરૂપ-અતર્જલ્પ-બહિર્શલ્પ-સૂક્ષ્મ-સ્થૂળરૂપ ક્રિયા, (અવશત:) સમ્યગ્દષ્ટિ પુરુષ સર્વથા કિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્રમોહના ઉદયે બલાત્કારે થાય છે તે (વન્યાય સમુન્નતિ) –જેટલી ક્રિયા છે તેટલી-જ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે, સંવર-નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી. “તત્ છમ જ્ઞાન મોલાય સ્થિતમ” (તત) પૂર્વોક્ત (ઇમ જ્ઞાન) એક જ્ઞાન અર્થાત્ એક શુદ્ધ ચૈતન્યપ્રકાશ (મોક્ષાય સ્થિતમ) જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે. ભાવાર્થ આમ છે કે-એક જીવમાં શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મ-ક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મબંધ થાય છે. એક જ કાળે બંને કાર્ય થાય છે. “વ” આમ જ છે, સંદેહ કરવો નહિ. કેવું છે શુદ્ધ જ્ઞાન? “પરમ” સર્વોત્કૃષ્ટ છે-પૂજ્ય છે. વળી કેવું છે?“સ્વત: વિમુ$” ત્રણે કાળ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન છે. ૧૧-૧૧૦. કલશ - ૧૧૦ : ઉપર પ્રવચન “અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે,” કોઈ ભ્રમણા નામ ભ્રાંતિ કરશે કે- મિથ્યાષ્ટિનું જે મુનિપણું – પાંચ મહાવત ક્રિયાઆદિ છે તેને બંધનું કારણ માને છે. “સમ્યગ્દષ્ટિનું જે યતિપણું” શુભક્રિયારૂપ તે મોક્ષનું કારણ છે.” પંચ મહાવ્રતઆદિ ક્રિયા તે મોક્ષનું કારણ છે અર્થાત્ શુભક્રિયા તે મોક્ષનું કારણ છે. એમ કોઈ અજ્ઞાની માને છે. મિથ્યાષ્ટિનું યતિપણે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એવો જે વ્યવહાર તે તો બંધનું કારણ છે, પરંતુ સમ્યગ્દષ્ટિના જે વ્યવહાર પંચમહાવ્રતાદિ ક્રિયા તે મોક્ષનું કારણ છે તેમ કોઈ મૂઢ મિથ્યાષ્ટિ માને છે આમ કેમ માને છે? તે બતાવે છે. કારણ કે આત્માના આનંદનું અનુભવ જ્ઞાન છે તે મોક્ષનું છે અને દયા–દાન-વ્રત-શીલ સંયમની ક્રિયા તે બન્ને મળીને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. અજ્ઞાની એમ માને છે કે સમ્યગ્દષ્ટિનું જે સમ્યદર્શનપણું અને આનંદનું વેદન, તેની સાથે દયા-દાન-વ્રત તપ -આદિની ક્રિયા તે બે થઈને મોક્ષનો માર્ગ છે. આવું હોય તેને મોક્ષ થાય એમ નથી. સમજમાં આવ્યું? = Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy