SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૨ ૨૯૩ તારા નયનમાં ” જેના શ૨ી૨માં (બહા૨) ઉપશમ ૨સ દેખાય અને અંદ૨માં પ્રગટ કેવળજ્ઞાન ઉપશમરસમાં ઢીમ થઈ ગયા છે અંદરમાં આહાહા ! ભગવાન દ્રવ્ય સ્વભાવ તો ઉપશમસ સ્વરૂપ જ છે. તેના આશ્રયે ઉપશમ એટલે શાંતિ એટલે વીતરાગતા ઉત્પન્ન થાય છે. “ જો શાંતિ પમાડે તેને સંત કહીએ, તેને ચ૨ણે જઈને રહીએ. શાંતિ પમાડનાર ભગવાન તો અંદર છે ને ! શાંતિનો સાગર પ્રભુ ઉછળે છે ને ! એ પુણ્ય-પાપના રાગ વિનાની ચીજ છે ને ! એને શ૨ણે જતાં તને શાંતિ મળશે. પુણ્ય-પાપના શરણે જતાં પ્રભુ તને અશાંતિ અને દુઃખ મળશે. સમજમાં આવ્યું ? હવે આ ચર્ચા મોટી, લોકોને તત્ત્વની ખબર ન મળે બાપુ! એ શુભભાવને તો નિશ્ચયથી અશુદ્ધ કહ્યું છે. શુભઅશુભ બન્ને ભાવને તો અશુદ્ધ કહ્યું છે. શુભને તો બંધમાર્ગને આશ્રયે કહ્યો છે. જેમ અશુભથી બંધ પડે છે તેમ શુભથી બંધ પડે છે, તે મોક્ષમાર્ગ નહીં, તે તો બંધમાર્ગ છે. સમજમાં આવ્યું ? ‘વિવ૨ણ-શુભકર્મના ઉદયે સંસાર, શુભભાવથી બંધ પડયો અને તેનાથી ફક્ત સંસાર છે. તેનાથી ચારગતિ મળે છે પછી ભલે સ્વર્ગમળે કે શેઠાઈ તે બધો સંસાર છે. અબજોપતિ હો કે કરોડપતિ હો ! અત્યારે તો કરોડપતિની કાંઈ કિંમત નહીં અત્યારે તો અબજપતિ થઈ ગયાં. પહેલાં લખપતિમાં બહુ કહેવાતા, અરે! લાખ શું!! દશ હજારમાં બહુ કહેવાતા. અમારા પિતાજીના પિતા પાસે દશ હજાર રૂપિયા તેઓ ગામના રાજા કહેવાય રાજા. ફક્ત દશ હજાર રૂપિયા. ત્યારે રૂ નો વેપા૨- ધોકળા(બોરાં ) લેવા માણસને મોકલે. બે મહિનામાં બે હજાર પેદા કરી લે. બસ, પછી દશ મહિના ધંધો નહીં. અમારા પિતાજીના પિતાજીનું શરીરનું રૂપ સુંદર હતું. તેઓ મોટા ગૃહસ્થ અને નામાંકિત શરીફ હતા. તેમનું નામ નામાંકિત હતું. આટલી મૂડી હતી. અત્યારે તો એક દિવસની પચ્ચીસ પચ્ચીસ હજા૨ની પેદાશવાળા પડયા છે. તે બધા ધૂળના ધણી, જેને કાંઈ ભાન ન મળે. અહીં કહે છે– પુણ્યના ફળ તો દુઃખ છે. પુણ્ય પોતે જ દુઃખ છે. શુભભાવ આકુળતા છે, તે નિરાકુળતાનું કારણ નથી. નિરાકુળતાનું કારણ તો ભગવાન આત્મા છે. આહાહા ! ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! તેનો આશ્રય લેવાથી અનાકુળતા પ્રગટ થાય છે. પુણ્યપાપનો આશ્રય તો દુઃખરૂપ છે. આવી વાતું શેઠ! દુનિયાથી માર્ગ નિરાળો છે વીતરાગતાનો-જિનેન્દ્રનો ભાઈ! અત્યારે પર્યુષણમાં તો એવું ધમાધમ ચાલે ! પંડિતો, આનો ત્યાગ, વ્રત ને ઉપવાસ. એ બધા ધર્મ છે. તો (સાંભળનારા ) ના પાડે નહીં. અરે ભગવાન ! પ્રભુ... તારો માર્ગ આટલો છે ? બંધના હેતુમાં તું ફેર કેમ કરે છે ! અમે તો ના પાડીએ છીએ કે– બંધના હેતુમાં તું ફેર કેમ કરે છે ! અમે તો ના પાડીએ છીએ કે– બંધના ,, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy