SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ કલશામૃત ભાગ-૩ પ્રકૃતિભેદ છે. વિવરણ-અશુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છે-પુગલકર્મવર્ગણા ભિન્ન છે; શુભકર્મસંબંધી પ્રકૃતિ ભિન્ન છે-પુદ્ગલકર્મવર્ગણા પણ ભિન્ન છે. અનુભવ અર્થાત્ કર્મનો રસ, તેનો પણ ભેદ છે. વિવરણ-અશુભકર્મના ઉદયે જીવ નારકી થાય છે અથવા તિર્યંચ થાય છે અથવા હીન મનુષ્ય થાય છે, ત્યાં અનિષ્ટ વિષયસંયોગરૂપ દુઃખને પામે છે; અશુભ કર્મનો સ્વાદ એવો છે. શુભ કર્મના ઉદયે જીવ દેવ થાય છે અથવા ઉત્તમ મનુષ્ય થાય છે, ત્યાં ઇષ્ટ વિષયસંયોગરૂપ સુખને પામે છે; શુભકર્મનો સ્વાદ એવો છે. તેથી સ્વાદભેદ પણ છે. આશ્રય અર્થાત્ ફળની નિષ્પત્તિ એવો પણ ભેદ છે. વિવરણ-અશુભકર્મના ઉદયે હીણો પર્યાય થાય છે, ત્યાં અધિક સંકલેશ થાય છે, તેનાથી સંસારની પરિપાટી થાય છે; શુભકર્મના ઉદયે ઉત્તમ પર્યાય થાય છે, ત્યાં ધર્મની સામગ્રી મળે છે, તે ધર્મની સામગ્રીથી જીવ મોક્ષ જાય છે, તેથી મોક્ષની પરિપાટી શુભકર્મ છે. –આવું કોઈ મિથ્યાવાદી માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે- “મે: દિ” કોઈ કર્મ શુભરૂપ, કોઈ કર્મ અશુભરૂપ-એવો ભેદ તો નથી. શા કારણથી? “હેતુમાવાનુભવાશ્રયી સલા પિ મેવા” (હેતુ) કર્મબંધનાં કારણ વિશુદ્ધપરિણામ-સંકલેશપરિણામ એવા બંને પરિણામ અશુદ્ધરૂપ છે, અજ્ઞાનરૂપ છે; તેથી કારણભેદ પણ નથી, કારણ એક જ છે. (સ્વભાવ) શુભકર્મ-અશુભકર્મ એવાં બંને કર્મ પુદગલપિંડરૂપ છે, તેથી એક જ સ્વભાવ છે, સ્વભાવભેદ તો નથી. (મનમવ) રસ તે પણ એક જ છે, રસભેદ તો નથી. વિવરણ-શુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, સુખી છે; અશુભકર્મના ઉદયે જીવ બંધાયો છે, દુઃખી છે; વિશેષ તો કાંઈ નથી. (ગાય) ફળની નિષ્પત્તિ, તે પણ એક જ છે, વિશેષ તો કાંઈ નથી. વિવરણ-શુભકર્મના ઉદયે સંસાર, તેવી જ રીતે અશુભકર્મના ઉદયે સંસાર; વિશેષ તો કાંઈ નથી. આથી એવો અર્થ નિશ્ચિત થયો કે કોઈ કર્મ ભલું કોઈ કર્મ ભૂરું એમ તો નથી, બધુંય કર્મ દુઃખરૂપ છે. “તત વશ્વમાTAતમ રૂ” (તત) કર્મ (મિ) નિઃસંદેહપણે (વશ્વનીffશ્રતમ) બંધને કરે છે, (૪) ગણધરદેવે એવું માન્યું છે. શા કારણથી ? કારણ કે “વસુ સમસ્તે સ્વયં વન્ધદેતુ:” (૨૩) નિશ્ચયથી (શક્તિ ) સર્વ કર્મ જાતિ (સ્વયં વજૂદેતુ:) પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કે-પોતે મુક્તસ્વરૂપ હોય તો કદાચિત્ મુક્તિને કરે; કર્મ જાતિ પોતે સ્વયં બંધાર્યાયરૂપ પુગલપિંડપણે બંધાયેલી છે, તે મુક્તિ કઈ રીતે કરશે? તેથી કર્મ સર્વથા બંધમાર્ગ છે. ૩-૧૦૨. કલશ - ૧૦૨ : ઉપર પ્રવચન “અહીં કોઈ મતાંતરરૂપ થઈને આશંકા કરે છે. -એમ કહે છે કે કર્મભેદ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy