SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૮ ૨૩૫ જે કર્મબંધ થાય છે તે કર્મબંધની ક્રિયાને આત્મા કરી શકતો નથી. જેટલા પ્રમાણમાં મિથ્યાભ્રમ અને અજ્ઞાનથી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે તેટલા પ્રમાણમાં જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે. છતાં પણ તે જ્ઞાનાવરણાદિ જડકર્મની પર્યાયનો કર્તા તે રાગદ્વેષ મિથ્યાત્વભાવ નથી. (વર્તા) મિથ્યાત્વ રાગાદિ અશુદ્ધ પરિણામ પરિણત જીવ.” જેને પોતાના સ્વરૂપની ખબર નથી તે જીવ અનાદિથી મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે છે. અને તે સમયે જ્ઞાનાવરણાદિ નવાકર્મ પણ બંધાય છે. પરંતુ તે કર્મબંધનની પર્યાયનો કર્તા રાગદ્વેષ નથી. મિથ્યાદેષ્ટિ જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષનો કર્તા છે. પરંતુ તે સમયે જે કર્મ બંધાય છે તે પર્યાયનો કર્તા અજ્ઞાની નથી. આહાહા ! કર્મપિંડમાં આત્માનો વિકાર નથી અને આત્માના વિકારમાં કર્મપિંડ નથી. સમજમાં આવ્યું? આત્માના પરિણામ થયા જે રાગદ્વેષ તે મલિન ભલે હો. પરંતુ તે જડની (કર્મબંધનની) પર્યાયને કરે તેમ છે નહીં. તે સમયે જે કર્મ બંધાય છે તેની ક્રિયાનો કર્તા તે પરિણામ નથી. તો પછી આત્મા દેશસેવા કરી શકે છે એમ છે નહીં. પ્રશ્ન:- ગુરુસેવા તો કરવી પડે ને? ઉત્તર:- ગુરુસેવાનો અર્થ શું છે? શું પગ દબાવવા તે? પગ તો આત્માના છે જ નહીં. સેવા તો એ છે કે- ગુરુ જે વાત કરે છે. તેવી માન્યતા કરવી તે સેવા છે. આ બાલ બચ્ચાને ભણાવવા અને સુધારવા તે ક્રિયાને આત્મા કરી શકતો નથી એમ કહેવું છે. અહીં કહે છે– પરની ક્રિયા આત્મા કરી શકતો નથી. તે રાગદ્વેષ અને મિથ્યાભ્રાંતિરૂપે પરિણામો પરંતુ પરની ક્રિયા કરી શકતો નથી. આ ધંધાની ક્રિયા, વાણીની ક્રિયા, શરીરની ક્રિયા તેને કરી શકતો નથી. અહીં તો જેટલા પ્રમાણમાં રાગદ્વેષ અને મિથ્યાત્વ છે તેટલા પ્રમાણમાં કર્મ બંધાય છે છતાં એ કર્મ બંધનની ક્રિયાનો કર્તા એ રાગદ્વેષ મિથ્યાત્વના પરિણામ નહીં. તો પછી આ પરદ્રવ્યની-દેશની સેવા કરીએ, બાળકને સુધારીએ તેને મોટાં કરીએ.. (વગેરેને આત્મા કેવી રીતે કરે?) ઝીણી વાતું છે બાપુ ! બાળક, સ્ત્રી કે કુટુંબ કોઈની ક્રિયા આત્મા કરી શકે તેમ ત્રણ કાળમાં નથી. અહીંયા તો જેટલાં મિથ્યાત્વ અને રાગદ્વેષ થયાં એ પ્રમાણે ત્યાં દર્શનમોહ અને ચારિત્રમોહનો બંધ પડ્યો, છતાં એ બંધની પર્યાયનો કર્તા મિથ્યાત્વ અને રાગદ્વેષ નથી. તો પછી પરની દયા પાળી શકું છું અને પરની હિંસા કરી શકું છું તે વાત આત્મામાં છે નહીં. એમ કહે છે. હિંસા કરું તેવા ભાવને કરે પરંતુ તે પરની હિંસા ત્રણકાળમાં કરી શકે નહીં. દયા કરવાનો શુભરાગ કરે, રાગ મારો છે તેવું માનીને અજ્ઞાની રાગ કરે પરંતુ તે પરની દયાની ક્રિયાને કરી શકે તેવું ત્રણકાળમાં નથી. રાગને કરે તે મિથ્યાદેષ્ટિ છે તે વાત અહીં લેવી નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy