SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૬ ૨૨૫ તેમ આવ્યું ને ! “તેથી એક કાળે એક પરિણામરૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તે પરિણામનું તે કર્તા હોય છે.”શું કહ્યું? એક કાળમાં જીવદ્રવ્ય તો એકરૂપે પરિણમે છે. કાં જ્ઞાતાપણે પરિણમે અથવા રાગપણે પરિણમે. રાગપણે પરિણમે તો અજ્ઞાની છે. જ્ઞાતાપણે પરિણમે તો ધર્મ છે. તેને કેમ વર્મી કહ્યો? કોઈ વળી એમ કહે કે- જ્ઞાની તો કોઈ ઊંચા હશે! જ્ઞાની કહો કે ધર્મી કહો બન્ને એક જ વાત છે. કોઈ એમ કહે કે- જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાની. અહીંયા એ વાત નથી. અહીં તો આત્મા આનંદ પ્રભુ! ચિદાનંદનું જ્ઞાન થયું તે જ્ઞાની, તે ધર્મી; અને ધર્મી રાગનો કર્તા થતો નથી. કેમ કે પોતાની ચીજમાં વિકલ્પ છે જ નહીં. એ તો અસભૂત વ્યવહાર છે. વિકલ્પ આવે છે પણ તે અસભૂતનયનો વિષય છે. અસભૂત એટલે મારી ચીજમાં નથી. વિકલ્પને પર શેય તરીકે વર્મી જાણે છે. અજ્ઞાની –રાગ મારો છે તેમ સ્વફ્લેય માનીને મારો માને છે. બન્નેમાં પૂર્વ પશ્ચિમનો ફેર છે. “માટે મિથ્યાષ્ટિ જીવ કર્મનો કર્તા, સમ્યગ્દષ્ટિ જીવ કર્મનો અકર્તા-એવો સિદ્ધાંત સિદ્ધ થયો.” આ સરવાળો માર્યો. જેની દૃષ્ટિ શુભભાવ દયા-દાન-વ્રતભક્તિ તેની ઉપર છે તે મિથ્યાષ્ટિ રાગનો કર્તા થાય છે. એ ભાઈ ! આ બધું ઝીણું છે. પ્રશ્ન- વિકલ્પ આવે અને કર્તા નહીં? ઉત્તર:- બિલકુલ નહીં. એ તો થાય છે તેનો જાણવાવાળો સમકિતી રહે છે. થોડો વૈષનો અંશ આવે છે તેનો તે જ્ઞાતા –દેષ્ટા રહીને તેનો કર્તા થતો નથી. પ્રશ્ન:- એક જ સમયમાં? ઉત્તર- એક જ સમયમાં. રાગ-દ્વેષ થાય છે કે નહીં? કર્મધારા થાય છે પણ તેનો કર્તા થતો નથી. આહાહા! સૂક્ષ્મ વાત છે. ભાઈ ! વીતરાગ સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો પંથ કોઈ અલૌકિક છે. લોકોએ અજૈનમાં જૈનપણું માની લીધું છે. રાગમાં ધર્મ માનવો તે અજૈનપણું છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ એમાં ધર્મ માનવો તે અજૈનપણું છે–તે અધર્મ છે. જ્ઞાનીને રાગ આવે છે, પરંતુ તેનો કર્તા નથી. અને તેને પોતાના માનતો નથી. પ્રભુના મારગડા ભિન્ન છે. અહીં તો એમ કહે છે કે- ચૈતન્યની પ્રભુતા તે રાગને કરવામાં તેની પ્રભુતા નથી. આ વ્યવહાર રત્નત્રયનો કર્તા તે તારી પ્રભુતા નહીં. એ તો પામરતા છે. તારી પ્રભુતા તો રાગના કાળમાં રાગને જાણવું અને પોતાના સ્વભાવનો અનુભવ કરવો એ તારી પ્રભુતા છે. સમજમાં આવ્યું? સૂક્ષ્મ વાત છે ભાઈ ! અને આવો મારગ સર્વજ્ઞ સિવાય ક્યાંય છે જ નહીં. * * * Please inform us of any errors on [email protected]
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy