SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ કલશામૃત ભાગ-૩ ખંડાન્વય સહિત અર્થ:- આ અવસરે, સમ્યગ્દષ્ટિ જીવનો અને મિથ્યાષ્ટિ જીવનો પરિણામભેદ ઘણો છે તે કહે છે- “ય: રોતિ : વત્ન કરોતિ (5:) જે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ (વરાતિ) મિથ્યાત્વ-રાગાદિ પરિણામરૂપ પરિણમે છે (સ: વનં રોતિ) તે તેવા જ પરિણામનો કર્તા થાય છે; “તુ : ત્તિ” જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે છે “સ: હેવનમ ત્તિ” તે જીવ તે જ્ઞાનપરિણામરૂપ છે, તેથી કેવળ જ્ઞાતા છે, કર્તા નથી. ય: વરાતિ સ: વિત ન વેરિ” જે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ મિથ્યાત્વ-રાગાદિરૂપ પરિણમે છે તે શુદ્ધસ્વરૂપનો અનુભવનશીલ એક જ કાળે તો નથી હોતો; “ય: તુ વેત્તિ સંચિત ન રોતિ” જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપને અનુભવે છે તે જીવ મિથ્યાત્વ-રાગાદિ ભાવનો પરિણમનશીલ નથી હોતો. ભાવાર્થ આમ છે કે-સમ્યકત્વ અને મિથ્યાત્વના પરિણામ પરસ્પર વિરુદ્ધ છે. જેમ સૂર્યનો પ્રકાશ હોતાં અંધકાર હોતો નથી, અંધકાર હોતાં પ્રકાશ હોતો નથી, તેમ સમ્યકત્વના પરિણામ હોતાં મિથ્યાત્વપરિણમન હોતું નથી. તેથી એક કાળે એક પરિણામરૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તે પરિણામનું તે કર્તા હોય છે. માટે મિથ્યાદેષ્ટિ જીવ કર્મનો કર્તા, સમ્યગ્દષ્ટિ જીવ કર્મનો અકર્તા-એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ૫૧-૯૬. કલશ - ૯૬ : ઉપર પ્રવચન આ કળશ ઉપરથી બનારસીદાસે પદ બનાવ્યું છે. करै करम सोई करतारा। जो जाने सौ जाननहारा।। जो करता नहि जानै सोई। નાને સો વરતા નહિ દોડ્ડા રૂરૂપા રાગ કરે તે રાગનો કર્તા હોય છે. અશુદ્ધ પરિણામ ઉપર જેની દૃષ્ટિ છે તે અશુદ્ધ પરિણામનો કર્તા છે. કર્તા છે તે કેવળ કર્તા જ છે. “યસ્તુ વેતિ સ તુ તિ વનમ” જાણનાર તો કેવળ જાણનાર જ રહે છે. પહેલા પદમાં -કર્મ કરે સો હી કરતારા. બીજામાં જો જાને સો જાનમહારા. શું કહ્યું? જે કોઈ રાગના પરિણામ હોય છે અર્થાત્ જેની દૃષ્ટિ અશુદ્ધ પરિણમન ઉપર છે તે રાગનો કેવળ કર્તા જ છે અને જેને અશુદ્ધ પરિણામનું કર્તાપણું છૂટીને શુદ્ધ સ્વભાવ ઉપર દૃષ્ટિ થઈ તો જાણવાવાળો કેવળ જાણવાવાળો જ રહે છે, તે કર્તા નથી. કર્તા છે તે જાણવાવાળો નથી. અને જાણવાવાળો તે કરવાવાળો નથી. ભાષા તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy