SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫O કલશાકૃત ભાગ-૩ તેનો સ્વભાવ છે. આહાહા! આવી વાતું છે. સમજમાં આવ્યું? ભાઈ ! માર્ગ આ છે. એની પહેલાં પક્ષ તો કરે. (ભલે) વિકલ્પથી પક્ષ કરે કે આ ચીજ આવી જ છે પછી વિકલ્પાતીત થવું એ તો અંદરની ત્રીજી ચીજ છે. એ તો હજુ વ્યવહારના વિકલ્પના પક્ષમાં ઉભો છે. વ્યવહારથી થાય અને આનાથી થાય એ બધી વિપરીત દૃષ્ટિ છે ભાઈ ! અરેરે... આ શરીર ને વાણી ને કર્મ એ બધાં ભભકા દેખાય તે મસાણના હાડકાના ફોસફરસ છે. તે મસાણના હાડકાં છે. સ્મશાનમાં બાળક જાય ત્યાં ચમક.. ચમક થાય તો લોકો કહે ત્યાં ભૂત છે. ત્યાં ભૂત ક્યાં હતું? એ તો મસાણનાં હાડકાં છે. માણસને બાળીને પછી જે હાડકાં પડયાં હોય તેમાં ચમક થાય છે એને શું કહેવાય? ફોસફરસ. બાળક સમજે નહીં તેથી તેને એમ થાય કે –ત્યાં ભૂત છે, ત્યાં કાંઈ ભૂત છે નહીં. તે હાડકાની ફોસફરસ છે. તેમ આ બહારની જે ચીજ છે તે હાડકાંની ફોસફરસ છે. આહાહા ! એ મસાણની ફોસફરસ છે. જાણવા લાયક એવો ભગવાન અમૃતનો સાગર અંદર પડયો છે. આહાહા ! એ તરફ નજર નથી, એ તરફ વલણ નથી, એ તરફ ઝૂકાવ નથી. મતિ-શ્રુતજ્ઞાનનો ઝુકાવ પર તરફ છે. અહીં કહે છે કે- આત્મા જાણવા લાયક છે તે નયનો વિકલ્પનો પક્ષ છે. આ વાત નિશ્ચયથી લીધી. આ પહેલો બોલ થયો. આ પ્રમાણે ચિસ્વરૂપ જીવનાં સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેતા છે તે આત્મા જાણવા લાયક છે એવા વિકલ્પને છોડીને તત્ત્વવેદી થયો છે. જુઓ તો આ ક્રિયા ! વિકલ્પનો પણ પક્ષ છોડીને તે તત્ત્વવેદી થયો. તત્ત્વવેદી અર્થાત્ જ્ઞાયક સહિત વેતા... તેનો જાણનારો હોય છે તેનું નામ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને ધર્મ કહેવામાં આવે છે. બાકી બધું થોથાં છે. આહાહા ! તેને ખબર ન પડે... , એ માને કે- અમે સામાયિક કરી, પોષા કર્યા, પડિકમણા કર્યા; ધૂળેય નથી એ સામાયિક. આ ચીજ શું છે તેની દૃષ્ટિની તને ખબર નથી અને સામાયિક ક્યાંથી આવી ગઈ? સ્થાનકવાસીમાં તો બહુ ચાલે કે સામાયિક કરો, પોહા કરો, પડિકમણા કરો. અહીં કહે છે– ધૂળમાંય ક્યાંય ધરમ નથી. પ્રશ્ન:- પોષા એટલે શું? ઉત્તર- પૌષધ એટલે ચોવીસ કલાક આહાર પાણી ન લ્ય. આ સવારથી બીજી સવાર સુધી આહાર-પાણી છોડી હૈ. ચણા હોય છે ને ચણા.. એને પાણીમાં નાખે તો પોચા થાય છે. એમ આત્માના ગુણ દ્વારા પોષણ કરવું તે પોષા. આવું તો ભાન નહીં અને ચોવીસ કલાક આહાર ન ખાવ, પાણી જ પીવે તે પૌષધ છે. અરે! એ ધૂળમાંય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy