SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૮૧ ૧૩૩ છોડ્યા વિના અંદરમાં નહીં આવી શકે. આ ઝવેરીની દુકાન છે તેમ આંગણાંમાં ઉભાઉભા, ઝવેરીની દુકાનમાં પ્રવેશ કર્યા વિના આ ઝવેરીની દુકાન છે તેમ ખ્યાલમાં આવશે નહીં. હું એક છું તેવો એક નયનો પક્ષ છે. જીવ એક છે તેવો એક નયનો પક્ષ છે. જીવ એક નથી અનંત ગુણમય અને અનંતપર્યાયમાં અનેક છે તે વ્યવહારનયનો પક્ષ છે. આને વ્યવહાર કહીએ. સમજમાં આવ્યું? જીવ એક છે અને પર્યાય અનેક છે તે અપેક્ષાએ જીવને અનેક કહેવો. તે તો વ્યવહાર થયો, તેને તો અમે પહેલેથી જ છોડાવતા આવ્યા છીએ. પરંતુ જીવ એક છે તેવો વિકલ્પ જે ઊઠે છે તે વિકલ્પને છોડી દે! હું એક છું તેવા વિકલ્પમાં આવ્યો તો એ વિકલ્પથી શું થયું? આહાહા ! પૈસા મળ્યા અને બાયડી અનુકૂળ મળી, આબરૂ ને ધૂળ મળી તેમાં પાગલ થઈ ગયો છે. એકવાર પ્રભુ સાંભળ તો ખરો ! અહીંયા તો પરમાત્મા ત્યાં સુધી વાત કરે છે– હું અનંતગુણનો પિંડ એક છું. ગુણે અનેક છું અને દ્રવ્ય એક છું. દ્રવ્ય અનેક નહીં, પરંતુ ગુણે અનેક છે, પર્યાય અનંત છે. દ્રવ્ય તો એક જ છે તેમ દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપી છતાં હું એક છું... એટલી પણ રાગની વૃતિ ઊઠે છે-વિકલ્પ ઊઠે છે તેનાથી તને શું લાભ છે? આહાહા..! તો પછી વ્યવહારત્નત્રયથી તો તને શું લાભ છે! તે તો રાગ છે. દેવ-શાસ્ત્રગુરુની ભક્તિ પૂજાનો રાગ આવે છે... હો ! પણ તે હેય છે. તેનાથી આત્માને શું લાભ થયો! એમ કહે છે. વ્યવહારરત્નત્રયમાં આવ્યો તેનાથી આત્માને શું લાભ થયો? એ વાત તો એક બાજુ રહી ગઈપરંતુ નિશ્ચયના વિકલ્પમાં આવ્યો તેમાં તને શું લાભ થયો? આહાહા ! આવો માર્ગ છે પ્રભુ! બીજી નયનો પક્ષ એ છે કે જીવ એક નથી. અનેક છે. “આમ ચિત્તસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે.” હવે જે તત્ત્વવેદી છે, તત્ત્વ નામ ચિદાનંદ ભગવાનને વેદવાવાળો, અનુભવ કરવાવાળો સમ્યકષ્ટિ છે. આહાહા ! બહેનનું પુસ્તક વાચ્યું ભાઈએ હોં ! બધા પુસ્તકોમાં અને તેમાંય દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશથી પણ ચઢે એવું છે. એમાં ભગવાનની વાણી છે. હવે થોડાં પુસ્તકો બાકી રહ્યા છે. રામજીભાઈને કહ્યું આ પુસ્તકો ખપી જશે. આનો પ્રચાર તો જેમ થાય તેમ કરવા જેવો છે. શ્રોતા:- હિન્દીમાં બનાવવું! ઉત્તર- વાત સાચી છે. આ બધા પુસ્તકો મુંબઈમાં બનાવ્યા છે. આમાં તો એકલું માખણ છે. અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય આનંદ; વસ્તુ તો આ છે. શ્રોતા:- મર્મ બહુ છે. ઉત્તર:- ભાષા સાદી છે ભાવો ગંભીર છે. આ તહ્ન ચાલતી સાદી ભાષા છે અને માલ ઊંચો છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy