________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૨
કલશામૃત ભાગ-૩ કેવા છે તે જીવ “વિત્પનાવ્યુતશાન્તવિતા:” એક સત્વનો અનેકરૂપ વિચાર તેનાથી રહિત થયું છે.” શું કહે છે? વસ્તુ તો એકરૂપ સત્ત્વ સત્તા છે. આનંદ ને ચૈતન્યની એકસત્તારૂપ વસ્તુ છે. તે તેના વિકલ્પથી રહિત થયો છે. તેમાં અનેકરૂપ વિચાર એટલે દ્રવ્ય- ગુણ- પર્યાય, ઉત્પાદ- વ્યય ને ધ્રુવ ત્રણ પ્રકારના વિચાર કરવા તે કલેશ છે. આહાહા ! એકરૂપ વસ્તુમાં આ ઉત્પાદ- વ્યય તે પર્યાય અને આ ધ્રુવ છે તે ગુણ છે તેવો વિકલ્પ ઊઠાવવો તે કલેશ છે- દુઃખ છે. પોતાના દ્રવ્ય- ગુણ- પર્યાયના ભેદ વિચારવાથી પણ આત્માની પ્રાપ્તિ થતી નથી. ત્યારે તે તો વ્યવહાર કરતાં કરતાં પ્રાપ્ત થશે? સમજમાં આવ્યું પ્રભુ! બહુ મોટો ફેર છે.
વિત્પનાન વ્યતાન્તરિત્તા:” એક સત્વનો અનેકરૂપ વિચાર તેનાથી રહિત થયું છે.”(શાન્તરિત્તા:) નિર્વિકલ્પ સમાધાનરૂપ મન જેમનું”, શાન્તચિતાની વ્યાખ્યા કરે છે- શાન્ત- શાન્ત નિર્વિકલ્પરૂપ સમાધાનરૂપ મન તેમાં મનનો વિકલ્પ છૂટી ગયો, મનનો સંગ છૂટી ગયો અને અસંગ તત્ત્વનો સંગ થયો.
આહાહા! મનનો વિકલ્પ છે કે- હું શુદ્ધ છું, હું દ્રવ્ય છું, હું અખંડ છું એવા મનના સંગમાં વિકલ્પ હતો તે છૂટીને અસંગ ભગવાન આત્માનો સંગ થયો. વિકલ્પનો સંગ હતો તેને છોડીને ભગવાન નિર્વિકલ્પ છે તેનો સંગ થયો અર્થાત્ તેમાં લીન થયો તેનું નામ સંગ છે.
ભાવાર્થ આમ છે કે- એક સત્વરૂપ વસ્તુ છે તેને, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વિચારતાં વિકલ્પ થાય છે.”
ભગવાન તો એક સત્તારૂપ છે; તેમાં આનંદ ને શાંતિ એકરૂપ છે. ગુણ અનેક હોવા છતાં.. વસ્તુ તો એકરૂપ છે. શક્તિ ભલે અનંત હો પણ વસ્તુ તો એકરૂપ છે. ગુણની સંખ્યા અનંત કહેવામાં આવે છે પરંતુ દ્રવ્ય તો એક છે. શક્તિ અનંત છે પરંતુ શક્તિનું એકરૂપ દ્રવ્ય તો એક છે. દ્રવ્ય એક સત્તારૂપ જ છે, એક સત્વરૂપ જ છે. એક
કસ રૂપ છે.
આવા એકરૂપ ભગવાન આત્મામાં દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરવા તે બંધ ભાવ છે. ગજબ વાત છે ને! દયાદાન-વ્રત ને ભક્તિ એ તો ક્યાંય રહી ગયા. તે તો બંધનું કારણ છે પરંતુ એકરૂપ વસ્તુમાં દ્રવ્યગુણ ને પર્યાયના વિચાર કરવા તે પરવશ છે. નિયમસારમાં (૧૪૫ ગાથામાં) આવે છે કે- એકરૂપ વસ્તુમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર છે તે અન્યવશ છે.
શું કહ્યું? એકરૂપ વસ્તુ ચિદાનંદ ભગવાન આત્મા તેમાં દ્રવ્ય- ગુણ- પર્યાયના વિકલ્પો તે પરવશતા છે. તે (સ્વ) આવશ્યક નહીં. નિશ્ચય પરમાવશ્યક અધિકાર આવશ્યક કહે છે ને! એ આવશ્યક શું છે? દ્રવ્ય- ગુણ- પર્યાયના વિચાર એ આવશ્યક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com