SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશામૃત ભાગ-૨ ગગન મંડળમેં ગૌવા વિહાણી, વસુધા દૂધ જમાયા, માખણ થા સૌ વિ૨લા પાયા, છાસે જગત ભરમાયા. ભગવાનની વાણી એમને એમ આકાશમાં નીકળી-ઓમ્ ધ્વનિ છૂટીને તે કાને પણ પડી પરંતુ માખણ તો વિલાને મળ્યું. રાગથી ભિન્ન થઈને પોતાના આત્માનો અનુભવ કરે તે વિરલા છે. અજ્ઞાની છાસમાં ભરમાયો. અર્થાત્ આ પુણ્ય ને પાપ અને દયા-દાન, વ્રત–ભક્તિની ક્રિયા તે છાસ છે. તે છાસમાં જગત ભરમાઈ ગયું. આ રાગની ક્રિયા- દયા-દાન-વ્રત-ભક્તિ-અપવાસ-તપ તે તો બધું રાગ ને વિકલ્પ છે ભગવાન ! એ રાગથી જગત ભરમાયો. આ શ૨ી૨ તો જડ-માટી–ધૂળ છે, તે મસાણની રાખ થશે. આ ભવમાં (આત્મા ચાલ્યો જશે ત્યારે) શરીરને અગ્નિમાં બાળશે સ્મશાનમાં તેવી આ માટી છે. “ હાડ બળે જેમ લકડી, ખેસ બળે જેમ બળે ઘાસ. ” જેમ લાકડાં બળે તેમ હાડકાં બળશે અને ઘાસની જેમ રાગ. એ રાગથી ભિન્ન તારી ચીજ છે (તેનો અનુભવ ક.) આ શરીર તો માટી છે જડ, તેનો કર્તા તો છે જ નહીં, તેથી તેની વાત તો છે જ નહીં. શરીરથી ત્રણકાળમાં ધર્મ થતો નથી. શ૨ી૨થી તો જડની ક્રિયા થાય છે. અહીંયા તેની વાત તો દૂર રાખો. અહીંયા તો અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય તેનો કર્તા માને તે અજ્ઞાન છે–મૂઢ છે. આવી વાત છે! જેમ હંસની ચાંચમાં ખટાશને કા૨ણે તે જળને અને દૂધને ભિન્ન કરે છે તેમ ભગવાન શુદ્ધ ચૈતન્ય ૫૨ દૃષ્ટિ પડવાથી રાગ ને આત્મા ભિન્ન પડી જાય છે. આવી આકરી વાત છે. અત્યારે તો ગરબડ બહુ મોટી ચાલી છે. છાપામાં આવ્યું છે. શુભભાવ મોક્ષનો મારગ છે. મખનલાલજી કહે કૈલાસચંદજી કહે મખનલાલજી કહે કૈલાસચંદજી કહે શુભભાવ હેય છે. શુભભાવને ઠેય માને તે મિથ્યાર્દષ્ટિ છે. કુંદકુંદાચાર્ય શુભભાવને ઠેય માને તો શું કુંદકુંદાચાર્ય મિથ્યાર્દષ્ટિ છે ? શ્રોતા:- હવે બન્ને ઝગડે છે..! ઉત્ત૨:- ભાઈ.. ઠીક કહે છે, બન્ને પંડિત.. પંડિત ઝગડે છે. હવે આટલા વર્ષ ઝગડા થયા ! આટલા વરસ તમે શું કરતા હતા ? અહીંયાની વાત બહુ ચર્ચાણી. શુભભાવને ધર્મ કહેતા નથી. સમજમાં આવ્યું? અહીંયા તો કહે છે રાગ અને ચૈતન્ય બન્ને ભિન્ન ચીજ છે. નવતત્ત્વ છે કે નહીં !? હિંસા-જૂઠ-ચોરી–વિષય-ભોગ વાસના તે પાપ તત્ત્વ છે. દયા-દાન-વ્રત-ભક્તિના તે પુણ્ય તત્ત્વ છે. તે બન્ને શાયક તત્ત્વથી ભિન્ન છે. આહા... હા ! જ્ઞાયકભાવ છે કે ભાવ Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy