SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩) કલશોમૃત ભાગ-૨ એવો હું ગમ્ય છું. સ્વસંવેદન અર્થાત્ પોતાના જ્ઞાનથી ગમ્ય છું પરંતુ રાગથી ગમ્ય નથી. આ તો સીત્તેરવર્ષ પહેલાંના ત્રણ શબ્દો યાદ રહી ગયેલા. ૩વાસીનોગ૬, નિર્વિવત્વોSહં, શુદ્ધસિ એ રીતે તે બાઈ હાલરડામાં ગાતી હતી. અહીં તો ભગવાન. આચાર્ય મહારાજ કહે છે કે પ્રભુ! તું તો આવી ભાવના કર. મરિતાવરથોડÉહું ભરીત અર્થાત્ સ્વભાવની પૂર્ણતાથી ભરેલો ભગવાન છું. અહીં અવસ્થા એટલે પર્યાય ન લેવી. અવ એટલે નિશ્ચયથી સ્થ અર્થાત્ મારામાં નિશ્ચયથી ભરિત અવસ્થાથી ભર્યો પડ્યો છું. ભાષા એવી છે પરંતુ અવસ્થાનો અર્થ અહીં પર્યાય નહીં. અવ-વસ્થ, અવ-નિશ્ચય, મારી ચીજમાં નિશ્ચયથી પરિપૂર્ણ સ્વભાવ ભર્યો પડ્યો છે. આ ભૂતાર્થની વાત ચાલે છે. ___ “ मैं रागद्वेषमोहक्रोधमानमायालोभ पंचेद्रिय विषय व्यापार, मन वचन काय व्यापार भावकर्म-द्रव्यकर्म-नौकर्म-ख्वाति-पूजा-लाभदृष्टश्रुत अनुभूतभोगाकांक्षारुप નિવાન માયા મિથ્યા શન્ય ત્રયાવિસર્વ વિભાવ પરિણામ સે રહિત: શૂન્યોSહં ” હૂં તો વિકલ્પથી શૂન્ય પરમાત્મા છું. આ વાત ત્રણ ઠેકાણે છે. અહીં બંધ અધિકારમાં, છેલ્લે સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં અને પરમાત્મા પ્રકાશમાં છેલ્લે છે. હવે કહે છે-નીતત્રયે-ત્રણે જગતમાં અને ત્રણેકાળમાં, મન વચન કાયાથી, કૃતકારિત અનુમોદનથી.. “શુદ્ધ નિશ્ચયેન, તથા સર્વે નીવા:” સર્વે જીવો આવા છે. આહા.. હા! સર્વ લોકમાં, સર્વકાળમાં, સર્વ જીવ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલા સર્વ ભગવાન છે. આહા.... હા ! “સર્વે નવા રૂતિ નિરંતરે ભાવના કર્તવ્યા” આ ભાવના નિરંતર કરવી–ત્રણેય લોક, ત્રણકાળ, સર્વજીવ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલા છે એવી ભાવના કરવી. સર્વે જીવમાં અભવી પણ આવો છે તેમ આવ્યું. દ્રવ્ય તો અભવી પણ પૂરા આનંદ અને પૂરા સ્વભાવથી ભર્યો પડ્યો છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે. સમાજમાં આવ્યું? અમે સંપ્રદાયમાં હતા ત્યારે આ પ્રશ્ન ચાલ્યો હતો. ૮૫ની સાલમાં એટલે ૪૮-૫૦ વર્ષ પહેલાં. એક સાધુએ પોતાના નામની મોહનમાળા બનાવી. તેમાં તેણે લખ્યું કેઅભવીને ત્રણ આવરણ છે. મતિ-શ્રુત અને અવધિ. ત્રણ આવરણ છે, મન:પર્યય અને કેવળનું આવરણ નથી. કેમકે તેને મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન થવાનું નથી માટે. તેને બે આવરણ નથી. આવો પ્રશ્ન બનાવી અને તેમણે લખ્યું 'તું! પછી અમારી ચર્ચા થઈ, તમે આ શું કહો છો? આ શું લખ્યું છે? અભવીને પણ પાંચ આવરણ છે. કેવળજ્ઞાન શક્તિરૂપે છે. તો તેને આવરણ છે. મતિ, શ્રુતને અવધિ ત્રણ જ આવરણ છે એમ નથી. તેને પણ પાંચ આવરણ છે. આજથી પચાસવર્ષ પહેલા મેં આમ કહ્યું હતું. ભાઈ ! હું કાંઈ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy