SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશાકૃત ભાગ-૨ કલશ ન ઃ ૫૨ ( આર્યા ) एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ७-५२।। ખંડાન્વય સહિત અર્થ:- “ સવા છુ: પરિણમતિ ” (સવા) ત્રણે કાળે ( : ) સત્તામાત્ર વસ્તુ (પરિણમતિ) પોતાનામાં અવસ્થાન્તરરૂપ થાય છે; “ સવા ચ પરિણામ: નાયતે” (સવા) ત્રિકાળગોચર (T) સત્તામાત્ર વસ્તુ તેની ( પરિણામ: નાયતે ) અવસ્થા વસ્તુરૂપ છે; [ ભાવાર્થ આમ છે કે જેમ સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે; ] “પરિગતિ: પુક્ષ્ય સ્વાત્ (પરિણતિ: ) ક્રિયા ( પુસ્ય ચાત્ ) તે પણ સત્તામાત્ર વસ્તુની છે; [ ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી; ] “ યત: અને મ્ અપિ પુણ્ વ ” ( યત:) કા૨ણ કે (અનેમ્) એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ (પ)–એવું પણ જોકે છે તોપણ (સ્ વ) સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો જૂઠા છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ–કર્મનો કર્તા જીવવસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમ કે એક સત્ત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સત્ત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે ? ૭–૫૨. પ્રવચન નં. ૬૭ તા. ૧૫-૮- ’૭૭ કલશ-૫૨ : ઉપર પ્રવચન k સવા પુ: પરિણમતિ” ત્રણેકાળ સત્તામાત્ર અવસ્થાન્તરરૂપ થાય છે. વસ્તુ પોતાનામાં શું કહે છે ! પ્રત્યેક આત્મા અને પ્રત્યેક ૫૨માણુ તે બધા ત્રિકાળ ભિન્ન-ભિન્ન વસ્તુ છે. તે સત્તામાત્ર વસ્તુ ત્રિકાળ પોતાનામાં અવસ્થાન્તર થાય છે. પોતાની પૂર્વ અવસ્થાથી ભિન્ન અવસ્થાન્તર થાય છે.. પરંતુ તે ૫૨ના કા૨ણે અવસ્થાન્તર થતી નથી. અહીં પાણી ઉષ્ણ થયું તો અગ્નિ છે તો પાણી ઉષ્ણ થયું તેમ નથી. જે અગ્નિને જુએ છે તે સંયોગને જુએ છે. પાણીની પર્યાય પોતાથી ઉષ્ણ પર્યાયરૂપે પરિણમી છે એ પોતાનાથી થઈ છે અગ્નિથી નહીં. સમજમાં આવ્યું?! 66 ત્રણેકાળ સત્તામાત્ર વસ્તુ” વસ્તુ જે છે તેની સત્તા અર્થાત્ અસ્તિત્વ છે. અનંત આત્મા છે તેની સત્તા, અનંત ૨જકણ ૫૨માણુ છે તેના અસ્તિત્વની અસ્તિ છે.. Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy