SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨ કલશાકૃત ભાગ-૨ (૧) તે પુણ્ય-પાપરૂપ વિકલ્પ ઉઠે છે તે – લાલ છાલ જેવા છે. (૨) જડ કર્મ છે તે – કાચલી જેવા છે. (૩) નોકર્મરૂપ શરીર છે તે – ઉપરના છાલા છે. કહે છે કે જેમ ટોપરાપાક કરવાવાળી બાઈ છે તે લાલછાલને ઘસી નાખે છે તેમ જેણે આત્માનો ધર્મ કરવો હોય તે પુણ્ય-પાપના વિકલ્પને ઘસી નાખી તેનાથી આત્મગોળો છૂટો કરી લ્ય છે. આવી વાત છે ભાઈ ! પરિભ્રમણ કરતાં-કરતાં અનંતકાળ ગયો. અનંતવાર તે અબજોપતિ થયો, અનંતવાર ભિખારી થયો, અનંતવાર દેવ થયો. તેણે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિ કર્યા હોય તો તે સ્વર્ગમાં જાય છે. તેનાથી શું થયું? તેનાથી જન્મ મરણના ભાવનો અંત નથી આવતો. જન્મ-મરણના અંત કરવાની ચીજ તો આ છે. સચ્ચિદાનંદ પ્રભુ છે તે શરીર, કર્મથી તો ભિન્ન જ છે, અને જે પુણ્ય-પાપના વિકલ્પ-કાર્ય તેનાથી પણ ભિન્ન છે. સૂક્ષ્મવાત છે ભગવાન! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. આત્મા વસ્તુ છે કે નહીં? વસ્તુ છે તો શાશ્વત છે કે નહીં? કે નાશવાન છે? આત્મદ્રવ્ય શાશ્વત અવિનાશી છે. દ્રવ્ય અવિનાશી છે અને તેનો ગુણ જે જ્ઞાન અને આનંદ તે પણ અવિનાશી છે. આહા.. હા ! એ આનંદના નાથની જ્યાં અંદરમાં દૃષ્ટિ કરે છે ત્યારે પૂર્ણાનંદનો સ્વીકાર થાય છે. વર્તમાન અવસ્થામાં તો તે અવસ્થા તેનું કાર્ય છે. અને આત્મા તેનો કર્તા છે. જે આનંદની અવસ્થા પ્રગટ થાય છે તેનું નામ ધર્મ છે. શરીરની ક્રિયા તે ધર્મ નહીં; આ જે પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે તે પણ ધર્મ નહીં; ધર્મ તો આનંદ-સ્વરૂપ ભગવાન આત્મામાં છે. જે પૂર્ણાનંદથી ભરેલી વસ્તુ પૂર્ણ ઈદમ્ છે. વસ્તુ છે ને ‘પૂર્ણફમ' અર્થાત્ પૂરણ.... પૂરણ... પૂરણ. રૂમ એટલે આ જ્ઞાન ને આનંદથી પૂરણ છે. એવી ચીજની દૃષ્ટિ કરવાથી જે જ્ઞાનની, આનંદની, શાંતિની દશા થઈ તે અવસ્થા આત્માનું કાર્ય અને આત્મા તેનો કર્તા–તે પણ ઉપચારથી છે. એ કહ્યું? સાંભળો! આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. સચ્ચિદાનંદ છે અર્થાત્ સત્ = શાશ્વત, ચિત્ = જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. આ વિષયાનંદમાં રાગ માનવો તે દુ:ખ છે. લક્ષ્મીમાં આનંદ છે, બહારમાં આબરૂ જે છે તેમાં આનંદ માને છે. પરંતુ એ તો રાગનું દુઃખ છે. પરમાં તારું ધૂળેય સુખ નથી. ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે. તેનું અસ્તિત્વ એટલું મોટું છે કે–તેનો શાશ્વત આનંદસ્વભાવ છે. તે શાશ્વત વસ્તુ ઉપર દૃષ્ટિ કરવાથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદ આદિની જે પર્યાય થઈ તે આત્માનું કાર્ય છે. અને આત્મા તેનો કર્તા છે તે પણ ઉપચારથી છે. અહીં કહીએ છીએ તે સાંભળો. આ તો અમૃતના વહેણ છે બાપા! આવું તત્ત્વ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy