SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬ કલશામૃત ભાગ-૨ અહીંયા તો કહે છે-જે ચૈતન્ય સત્તા છે તે તેની સત્તાની અવસ્થા છે, તે અવસ્થા કર્મથી થઈ છે તેમ છે નહીં. બીજી જગ્યાએ એમ આવે છે કે પુણ્ય-પાપના ભાવ પુદ્ગલનાં છે. તેનો સ્વભાવની દૃષ્ટિએ તે વાત ચાલે છે. જ્યારે ચૈતન્યમૂર્તિ સ્વભાવનું ભાન થયું તો તે વ્યાપક થઈને તેની નિર્મળ પર્યાય વ્યાયરૂપ અવસ્થાનો કર્તા થયો. આતો સ્વભાવની દૃષ્ટિને ભાન થયું છે તેની વાત છે. હવે ( સાધકની) પર્યાયમાં જે વિકાર થાય છે તેમાં કર્મ વ્યાપક થઈને કરે છે. કારણ કે વિકાર નીકળી જાય છે. નીકળે છે તે ચીજ કાર્ય છે અને પુદ્ગલ કર્તા છે તેમ ત્યાં બતાવ્યું છે. એકવાર રાગને પુગલના પરિણામ કહે અને એકવાર એમ કહે કે તે સત્તાની અવસ્થા છે. તે અહીંયા કહે છે. “જે કોઈ અવસ્થા છે તે રૂપ-પોતે જ છે.” જે કોઈ આત્મસત્તા છે તેની અવસ્થા થઈ મલિન કે નિર્મળ તે અવસ્થા આત્મા જ છે. કર્મની અવસ્થા કર્મ છે. વસ્તુ પણ છે અને તેની અવસ્થા પણ છે. તો જે અવસ્થા છે તેનો કર્તા સત્તા અને અવસ્થા તેનું કાર્ય છે તેમાં કાંઈ વિરુદ્ધ નથી એમ કહે છે. પ્રવચન નં. ૬૬ તા. ૧૪-૮-'૭૭ આ કળશટીકા ચાલે છે. કળશ પ૧ મો છે. થોડું સૂક્ષ્મ છે પરંતુ ભાઈ ! અપૂર્વ વાત છે. અનંતકાળથી પોતાની ચીજ જે આત્મા છે તે પોતાના પરિણામનો કર્તા છે. પરિણામ એટલે અવસ્થા. અવસ્થાયી ત્રિકાળી ચીજ આત્મા છે અને તેની વર્તમાન અવસ્થાપર્યાય-પરિણામ જે થાય છે તે આત્માનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે. પરંતુ પરદ્રવ્યની પર્યાયનો આત્મા કર્તા એવું છે નહીં. જેમ પૂજામાં આપણે સ્વાહા કરીએ ને! તો સ્વાહા તે ભાષા જડની ક્રિયા છે અને હાથની ક્રિયા થાય તે જડ પર્યાયનો આત્મા કર્તા નથી. પ્રશ્ન- પૂજા કરવાનો ભાવ છે તે.. શું છે? ઉત્તર:- પૂજા કરવાનો ભાવ છે તે રાગ છે. અને ચોખા આદિ મૂકવાની જે ક્રિયા થાય છે તે ક્રિયા રાગથી થતી નથી. ઝીણી વાત છે ભગવાન ! વાસ્તવિક તત્ત્વ શું છે તેની તેણે તત્ત્વદેષ્ટિ કયારેય કરી નથી. એક દ્રવ્યની ચીજ છે તે બીજા દ્રવ્યની પર્યાયનો કર્તા છે એવી માન્યતા ભ્રમ-અજ્ઞાન ને પાખંડ . કેમકે પ્રત્યેક દ્રવ્ય તેની વર્તમાન અવસ્થા વિના રહેતું નથી. તો પ્રત્યેક તત્ત્વ (દ્રવ્ય)નું કાર્ય તેની અવસ્થા છે અને વસ્તુ તેની કર્તા છે. આ શરીર આવી રીતે ચાલે છે તો તે પરમાણુની અવસ્થા છે. જે માટી–ધૂળ-જડ છે તેની આ અવસ્થા થાય છે. એ અવસ્થા છે તે પરમાણુનું કાર્ય છે અને પરમાણું તેનો Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy