SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ કલશોમૃત ભાગ-૨ સ્વભાવસમ્મુખ થઈને. અર્થાત્ ધ્રુવને ધ્યાનમાં લ્ય છે ત્યારે તેને આત્માનો અનુભવ થાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન આવે તેને આત્માનો અનુભવ કહે છે. ત્યારથી હવે તે જીવ પોતાના પૂર્ણ આનંદ સ્વરૂપને ઉપાદેય જાણતો અને રાગાદિ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે તેના પ્રત્યે ઉદાસ રહે છે. હવે આ વાતોના વાંધા ! વ્યવહાર રત્નત્રય શુભ ઉપયોગ તે હેય નથી. ઉપાદેય છે એમ કેટલાક કહે છે. - શ્રી પ્રવચનસારના પહેલા ભાગમાં કુંદકુંદાચાર્ય તો એમ કહે છે-શુભભાવ તે હેય છે. સરાગ સંયમપણું રાગનું છે તે હેય છે. શુદ્ધ ઉપાદાનમાં નિર્મળ પરિણતિ વીતરાગતા તે ઉપાદેય છે. વાતો વાતોમાં બહુ ફેર ભાઈ ! એ જ વાત અહીંયા કરે છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ-શરીરને વાણી વિષે તેને ઉદાસીનપણું થાય છે. અને પરમ સ્વરૂપનો આદર રહે છે. કેવું છે જીવદ્રવ્ય? “પુરા:” દ્રવ્યની અપેક્ષાએ અનાદિ નિધન છે.” જીવદ્રવ્ય પુરાણ છે એટલે જૂનું છે-અનાદિનું છે તેમ કહે છે. વસ્તુ છે તે તો અનાદિની છે. પ્રભુ ! જ્ઞાન ને આનંદનો ભંડાર એવું જે જીવદ્રવ્ય એટલે જીવવસ્તુ જૂની છે-પુરાણી છેઅનાદિની છે. અનાદિ એટલે આદિ નહીં અને અનિધન એટલે અંત નહીં. આદિ ને અંત વિનાની વસ્તુ છે. નિધન એટલે મૃત્યુ. અનિધન અર્થાત્ જેનું મૃત્યુ નથી અને અનાદિ એટલે જેની શરૂઆત નથી. જેનો અંત નથી અને જેની આદિ નથી. આહાહા! ભગવાન જીવદ્રવ્ય તેની આદિ શું? છે. તેની આદિ નથી. ઉત્પત્તિ નથી એટલે કે આદિ નથી, નાશ નથી એટલે અવિનાશી–અનિધન છે. વળી કેવું છે? “વફ્લેશ નિવૃત:” કલેશથી અર્થાત્ દુઃખથી (નિવૃતઃ) રહિત છે.” આહાહા ! એ પુણ્યના ભાવ પણ દુઃખરૂપ હતા. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પરાગ, પંચ મહાવ્રતનો રાગ અને શાસ્ત્ર તરફ ઝૂકતી બુદ્ધિ એ બધા રાગ અને દુઃખ છે. આત્મા તેનાથી રહિત છે. (૧) પહેલાં (ઉપર) ભાવકર્મથી ઉદાસીન છે તેમ કહ્યું હતું. (૨) આ જીવ છે તે અનાદિ અનંત છે અને કલેશથી નિવૃત્ત છે. ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદનું દળ છે. ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ ઉઠે તે આત્માથી વિરુદ્ધ ભાવ છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે. આહાહા...! પાંચ મહાવ્રતના પરિણામ, શાસ્ત્ર શ્રવણનો રાગ એ બધું દુ:ખ છે. ભગવાન આત્મા દુઃખથી નિવૃત્ત છે. શ્રોતા:- રાગ હેય છે તેવો વિકલ્પ કરે તો...! ઉત્તર- હેય માનવાથી હેય થાય (વિકલ્પ કરવાથી હેય ન થાય.) જે રાગનો Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy