SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૪૫ ૧૩૫ “સર્વ પ્રકારે પ્રગટ થઈ છે” અર્થાત્ અજીવના ભાવથી-રાગના ભાવથી રહિત પ્રભુનો અનુભવ થતાં એ વસ્તુ પ્રગટ થઈ છે. “શું કરીને ? “વિવં વ્યાપ્ય” સમસ્ત શેયોને પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને. ” સમ્યગ્દર્શનમાં ભલે શ્રુતજ્ઞાન હોય તો પણ તે શ્રુતજ્ઞાનમાં લોકાલોકને જાણવાની એની શક્તિ છે. કેવળજ્ઞાનમાં સાક્ષાત પ્રત્યક્ષ જણાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં પરોક્ષ જણાય છે અને તે પણ આનંદની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. તેથી જ્ઞાનની અપેક્ષાએ પણ જ્ઞાનમાં લોકાલોક જણાય છે એવી રીતે પ્રત્યક્ષ કહ્યું છે. સમજાણું કાંઈ ? પ્રવચન નં. ૫૪ તા. ૩૧-૭- ’૭૭ અષાઢ વદ એકમ તે ભગવાનની દિવ્યધ્વનિનો દિવસ છે. ભગવાન મહાવીર ૫૨માત્માને વૈશાખ સુદ દશમના કેવળજ્ઞાન થયું પરંતુ છાસઠ દિવસ સુધી વાણી નીકળી નહીં. કેમકે તેમની વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય તેમ બને નહીં. ગણધર આવ્યા અને છાસઠ દિવસે વાણી નીકળી. શિષ્યે આચાર્યને પ્રશ્ન કર્યો કે-મહારાજ ! ઇન્દ્ર-શક્રેન્દ્ર તો ( ગણધરને ) લાવવામાં સમર્થ છે તો પછી ગૌતમ ગણધરને પહેલા કેમ ન લાવ્યા ? કેવળજ્ઞાન તો ૫રમાત્માને થયું હતું? તેનો ઉત્તર આચાર્યદેવ આપે છે કે–(ગૌતમમાં) પહેલાં ગણધ૨ થવાની કાળલબ્ધિ ( પાકી ) ન હતી. (ભગવાનની વાણીને ગણધર જે રીતે સમજે ) તે સમજવાની લાયકાતનો કાળ ન હતો તેથી ઇન્દ્ર ગણધ૨ને લાવી ન શક્યા. પહેલાં ગૌતમમાં ગણધર થવાની લાયકાત ન હતી. અષાઢ વદ એકમે ગૌતમ આવ્યા ત્યારે વાણી છૂટી.. એ પણ નિમિત્તનું કથન છે. એ.. વાણી છૂટવાનો કાળ હતો અને ગૌતમ આવ્યા ( તે તેનો સ્વકાળ હતો. ) ભગવાન વાણીના કર્તા નથી, તેમને બોલવાની ઇચ્છા નથી. એ તો સર્વજ્ઞ ૫૨માત્મા છે. તે પૂર્ણ આનંદ અને વીતરાગતાથી ભરેલા પ્રભુ છે. એ તો અતીન્દ્રિય સ્વાદના અનુભવમાં છે. પરંતુ પૂર્વે પ્રકૃતિ બંધાયેલી “ સર્વ જીવ કરું શાસન રચી ”. સર્વે જીવો ધર્મ પામો એવી ઇચ્છા પૂર્વે આત્મજ્ઞાનની ભૂમિકામાં થયેલી અને તે (ભાવના નિમિત્તે ) પ્રકૃતિ બંધાણી અને તેના ફળ તરીકે ઉદય આવે અને ધર્મ પામનારા જીવો ન હોય તેમ બને નહીં. શ્વેતામ્બરમાં એમ કહે છે કે-વાણી નીકળી પણ ધર્મ પામનારા કોઈ ન હતા.. તેથી વાણી નિષ્ફળ ગઈ. એમ કદી હોઈ શકે નહીં. વાણી જે ભાવે બાંધી હતી તે ભાવ તો ધર્મ પામનારાને પમાડું એવા ભાવથી બાંધી હતી. તેથી વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય અને વાણી નિષ્ફળ જાય એમ નથી. શ્રોતાઃ- વાણી નિષ્ફળ જાય તેનો અર્થ શું? Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy